SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત સમીકરણો અપાયાં છે. વ્યાખ્યા માટેનું પાઈય સમીકરણ “વિયાહા” છે પણ સમવાયા (સુ. ૩૬)માં નારીજાતિને બદલે નરજાતિનો પ્રયોગ કરાયો છે. વિભાગ - સમસ્ત અંગના ૪૧ વિભાગો છે. એ દરેક સયઅ (શતક) કહેવાય છે. એમાંના ઘણાંખરાને “ઉદ્દેસઅલગ)' ને નામે ઓળખાતા પેટાવિભાગ છે. આ ઉદ્દેસા સુત્તમાં વિભક્ત છે. સમવાય (સુ. ૧૩૬)માં સૂચવાયું છે કે આ અંગે એક સુયકખંધરૂપ છે, એને સો કરતાં વધારે અઝયણ છે. દસ હજાર ઉદ્સગ છે. ૩૬,૦૦૦ વ્યાકરણ છે, અને ૮૪,૦૦૦ પદો છે. આજે ઉપલબ્ધ થતા આ પાંચમાં અંગમાં દસ હજાર ઉદ્દેસગ કે ૩૬,૦૦૦ પ્રશ્નો નથી. વિશેષમાં સમવાય (સુ. ૮૧)માં એવો ઉલ્લેખ છે કે વિવાહપણત્તિમાં ૮૧ “મહાયુમમ્મસય” છે. મહાયુમ્મસય એટલે મહાયુગ્મશત. અહીં “શત” શબ્દથી “અધ્યયન' સમજવાનું છે એમ અભયદેવસૂરિ પત્ર ૮૩ અ માં કહે છે. દરેક સયઅ પ્રાય: પ્રારંભમાં લગભગ દરેક ઉદ્દેસઅને સાર્થક નામ પડ્યાં અપાયું છે. આવાં પદ્યોને અભયદેવસૂરિએ આ અંગની વૃત્તિમાં સંગ્રહગાથા' તરીકે ઓળખાવેલા છે. પ્રશ્નો - આ અંગમાં આજે જે પ્રશ્નો જોવાય છે તેમાંના ઘણાખરા પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિએ પૂછેલા છે. આમ એઓ મુખ્ય પ્રશ્રકાર છે, જ્યારે ગૌણ પ્રશ્રકાર તરીકે અગ્નિભૂતિ, વાયુભૂતિ, મણ્ડિત પુત્ર, માનન્દીપૂત્ર, રોહ, જયન્તી નામની શ્રાવિકા અને કેટલાક અજૈનોનો નિર્દેશ થઈ શકે તેમ છે. સ. ૧૮, ઉ.૩ (સુ ૬૧૯)માં માકન્દીપુત્રે પૂછેલા પ્રશ્રનો ઉત્તર અપાયો છે, પણ વિચિત્રતા તો એ છે કે ગોયમ (ગૌતમ)ને સંબોધીને અપાયો છે. પણ વણા (પય ૧૬, સૂ ૧)માંથી આ ઉત્તર અંહી અપાયો હોવાથી તેમ બન્યું છે એમ અભયદેવસૂરિએ વૃત્તિ (પત્ર ૭૪ર)માં ખુલાસો કર્યો છે. ૨૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy