SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર જેનાથી સર્વ પદાર્થો ગ્રહણ કરાય તે આદાનીય શ્રુતજ્ઞાન જાણવું. તે શ્રુતજ્ઞાનમાં કહ્યા પ્રમાણે સંયમ સ્થાનમાં જે ન વર્તે તે મોક્ષમાં ન જાય અથવા લોકોને પ્રિય એવા ભોગનાં અંગ, દાસદાસી, ચોપગી, ધન, ધાન્ય, સોનું - રૂપું વગેરે ગ્રહણ કરીને અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ વડે ગ્રહણ કરવા યોગ્ય કર્મ ગ્રહણ કરીને જ્ઞાનાદિમય મોક્ષમાર્ગમાં અથવા સભ્ય ઉપદેશમાં અથવા પ્રશસ્ત ગુણ સ્થાનમાં જે જીવ પોતાને સ્થિર નથી કરતો તે સંસારમાં ભમે છે. વળી તે ધર્મભ્રષ્ટ પોતે વીતરાગના ઉપદેશ સ્થાનમાં સ્થિર થતો નથી પણ તેને બદલે અનુચિત સ્થાનમાં વર્તે છે. તે બતાવે છે વિતથ તે અસત્ વચન દુર્ગતિનો હેતુ છે તેને પામીને અકુશળ અથવા ખેદ જાણનારો અસંયમ સ્થાનમાં વર્તે છે. અથવા વિતથ એટલે ગ્રહણ કરવા યોગ્ય ભોગ નથી. જુદું જે સંયમ સ્થાન છે તેને પામીને ખેદને જાણનારો નિપુણ સાધુ તે જ સ્થાનમાં એટલે કે કર્મને હણવામાં તત્પર રહે છે અર્થાત્ પોતાને સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં સ્થાપે છે. આ ઉપદેશ જે શિષ્ય જ્યાં સુધી તત્વનો બોધ પામ્યો નથી તેને સુમાર્ગમાં વર્તવા અપાય છે. પણ જે તત્વનો જાણ તથા હેય (ત્યાગવા યોગ્ય) ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) નું વિશેષ જાણે છે તે બુદ્ધિવાન પુરૂષ યથા અવસરે યથાયોગ્ય કરવું તે પોતાની મેળે જ કરે છે. કયો માણસ વીતરાગના ઉપદેશ પ્રમાણે ચાલતો નથી? બાળ, રાગ વગેરેથી મોહિત થયેલો તે કષાયો તથા કર્મો વડે અથવા પરિગ્રહ ઉપસર્ગ વડે હણાય છે. તે નિહ' અથવા જેનાથી સ્નેહ થાય છે તે સ્નેહી તે જેને છે તે સ્નેહવાલો ૯ પ્રશ્ન ઉત્તર ૨૦ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy