SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર કપાળ મુખ્ય છે એટલે આપણે કપાળમાં તિલક કરતાં ભાવના ભાવવાની છે કે ભગવાનની આજ્ઞા મસ્તકે ચઢાવું છું પાલન કરવા માટે સ્વીકારું છું. ૧૦૯૨ પ્રશ્ન દેરાસરમાં આપણે પાટલા ઉપર જે ચોખાનો સાથિયો કરીએ છીએ તેનું શું રહસ્ય છે? અને સાથિયો ચોખાનો જ કેમ? દેરાસરમાં આપણે જે ચોખાનો સાથિયો કરીએ છીએ તેનું રહસ્ય આ છે. આપણો આત્મા અનાદિ અનંતકાળથી આ સંસારમાં દેવગતિ-મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આ ચાર ગતિરૂપ સંસારને સમજાવવા- ચાર પાંખડાનો સાથિયો કરવાનો હોય છે. તે સંસારમાં આપણે આત્મા રખડી રહ્યો છે. તેમાંથી છૂટવા માટે દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ સાધનની ત્રણ ઢગલી અને તે ત્રણ દર્શન-જ્ઞાન અને ચારિત્ર આપણાં જીવનમાં આવે તો આપણને સિદ્ધશીલા પ્રાપ્ત થાય માટે તે ત્રણ ઢગલી પર સિદ્ધશીલા બનાવવાની. આ સાથિયો ચોખાનો જ કરવાનું તેનું રહસ્ય આ છે. ચોખાનું બીજું નામ અક્ષત છે અને આપણને જોઈએ છે. મોક્ષ તેનું બીજું નામ છે. અક્ષયપદ (મોક્ષ) છે માટે જ અક્ષયપદ મેળવવા અક્ષત વડે પૂજા કરવાની છે એટલે આ સાથિયામાં બીજા અનાજ ન ચાલે તેમાં ડાંગર ચાલે કે નહિ? ના ડાંગર ના ચાલે કારણ કે ડાંગરમાં છોતરાં હોવાથી ઉગી શકે છે, વધઘટ થાય છે. આપણે તો મલ્યા પછી તેમાં જરાપણ ફેરફાર ન થાય તેવું અક્ષયમોક્ષ જોઈએ અને તેના પ્રતિક તરીકે આ અક્ષતપૂજા છે. ૧૦૯૩ પ્રશ્ન દેરાસરમાં ઘંટનાદ શા માટે કરવાનો હોય છે? ૩૨૩) ૪૨૩ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy