SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારે કરે? તે વિદ્યાર્થી હોંશિયાર હતો. તેણે પોતાના તર્કે કહ્યું. મહારાજજી ! ચક્રવર્તી પોતાની ૬૪ હજાર રાણીને સંસારસુખ (ભોગસુખ)થી કેવી રીતે સંતોષતા હશે ? કેમ કે પોતે એકલો અને રાણી ૬૪ હજાર! પેલા સાધુ મહાત્માએ કહ્યું, ભાઈ ! વૈક્રિય શરીરથી. તે જ ધડાકે આ વિદ્યાર્થીએ કહ્યું કે તો શું સાહેબજી ! ચક્રવર્તી વૈક્રિય શરીર રચીને પૂજા નહી કરતા હોય? કેમ કે સૂતક તો ઔદારિક શરીર માટે છે વૈક્રિય શરીર માટે નથી. પેલા સાધુ મહારાજ તો આભા જ બની ગયા. આ તો તેણે પોતાના તર્કથી જવાબ વાળ્યો. શ્રેયસ! એક વિશિષ્ટ વાત તું ધ્યાનમાં રાખજે. ‘સિદ્ધાંત હોવા છતાં દૃષ્ટાંતથી સિદ્ધાંતનો લોપ કરવો તે ઉત્થાપકપણું (ઉત્સૂત્ર પ્રરૂપણા) છે.' આ તો ચક્રવર્તીએ સૂતકમાં (રસોડું વગેરે જુદું ન હોય અને) પૂજા કરી હોય તેવો દાખલો મળતો જ નથી. તે સિવાયના કોઈએ કદાચ બળજબરી કે મતિભ્રમ જેવા કો'ક કારણે પૂજા કરી હોય તો પણ તેવા દૃષ્ટાંત લઈ સિદ્ધાંતનો લોપ ન થાય. જેમ કે, સિદ્ધાંત એવો પણ છે કે ‘જ્યાં સ્ત્રી હોય ત્યાં સાધુએ ન રહેવાય. શય્યાત્તરનો પિંડ સાધુએ ન વપરાય, વગેરે’ હવે કોઈ સાધુ કહે કે ‘જુઓને! પૂ. સ્થૂલભદ્રમુનિ તો સ્ત્રી હતી ત્યાં ચોમાસું રહ્યા'તા જ ને. અને શય્યાતરનો પિંડ વાપરતા'તા જ ને! માટે સાધુએ સ્ત્રી હોય ત્યાં રહેવાય, શય્યાતરનો પિંડ લેવાય. એમ કહે તો ? ? ? ચોક્કસ ઉત્સૂત્ર પ્રરૂપણા ગણાય / સ્થાપક ગણાય. તે જ રીતે શાસ્ત્રોમાં Jain Education International 2010_03 3. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy