SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ભગવતીજીની ટીકામાં સંક્રમણનો અધિકાર ચાલ્યો છે તેમાં કહેલું છે જે નરકનું આયુષ્ય સાતમીનું બાંધ્યું છે પણ અધ્યવસાયના ફેરફારથી નરક ઓછી વધારે થાય છે તેમ કૃષ્ણ વાસુદેવ સાતમીનરકનું આયુષ્ય બાંધ્યું હતું તે અઢાર હજાર મુનીને વંદન કરવાથી ત્રીજીનું કર્યું તેમ ફેરફાર ચાર ગતિમાં થાય આટલો વિશેષ જે દેવલોકનું ફરીને મનુષ્યનું ન થાય તથા નરક તૂટીને બીજી ત્રણ ગતિનું થાય જે ગતિ હોય તેનો ફેરફાર થાય. (પા. ર૩ર) ૯૩૬ પ્રશ્ન શુદ્ધ અશુદ્ધ લાયક સમકિતના ભેદ કોઈ ઠેકાણે છે? ઉત્તર તત્ત્વાર્થની ટીકામાં પાના ૨૮ તથા નવપદ પ્રકરણની ટીકામાં કેવલજ્ઞાની મહારાજનું શુદ્ધ ખાયક સમકિત કહ્યું છે ને બ્રહ્મસ્થ શ્રેણિકાદિનું અશુદ્ધ કહ્યું છે. ૯૩૭ પ્રશ્ન આત્મા નિર્વિકલ્પ છે કે સવિકલ્પ છે? ઉત્તર આત્મા નિર્વિકલ્પ છે વિકલ્પ કરવા તે જડની સંગ તે આત્માનો ઉપયોગ બગડવાથી થાય છે. (પા. ૨૪૯) ૯૩૮ પ્રશ્ન દાંત તે શું? ઉત્તર પાંચ ઈન્દ્રિય વશ કરી છે. કોઈપણ ઈન્દ્રિય મોકલી નથી. આહાર પાણી માત્ર શરીરને આધાર આપવા આપે છે તે જેટલો વધારે જોઈએ એટલે હર કોઈ પુદ્ગલ મલ્યા તે આપે છે. તેમાં સારા નબળાં જોવા નથી માત્ર શરીરને વ્યાધિ ઉપદ્રવ ન થાય એવા પુદ્ગલ ગ્રહણ કરે છે એવી રીતે ફરશ ઈન્દ્રિય વસ્ત્ર મળે છે તે સુવાલો કે કર્કશ મળે છે તે બંનેમાં સમભાવ છે જાણે છે જે આ શરીર મારું નહિં તો સુવાળું વસ્ત્ર પણે મને કહો. એમ પાંચે ઈન્દ્રિઓના વિષયમાં ભાવી રહ્યા છે. (૩૬૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy