SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સાગર સમાધાન આગમોદ્ધારક આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજીનું સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. એમની કૃતિઓથી શ્રુતજ્ઞાનોપાસનાનો અખ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો છે અને શ્રુતજ્ઞાનના પરમોચ્ચ-પરમોપકારી વારસાનું આચમન કરવાની સો કોઈને સુવિધા થઈ શકી છે. પૂ.શ્રીની નિશ્રામાં સિદ્ધચક્ર પાક્ષિક પ્રગટ થયું હતું. તેમાં સાગરસમાધાન નામનો પ્રશ્નોત્તરનો વિભાગ હતો. આ વિભાગમાં વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવતા હતા. સિદ્ધચક્ર પાક્ષિકના પ્રશ્નોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે અને સાગર સમાધાન” ગ્રંથ આજે સૌ કોઈને જ્ઞાનપ્રાપ્તિને શંકા નિવારણના એક મહત્વના સાધનને આધાર તરીકે પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં ૭૫૧ પ્રશ્નોત્તરનો સંચય થયો છે. વિવિધ વિષયોને આવરી લેતા પ્રશ્નોત્તરો જ્ઞાન-વિજ્ઞાનની અવનવી માહિતી આપે છે અને તેનાથી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કરવા માટેના સંસ્કારોનું સિંચન થાય તેમ છે. નમૂનારૂપે પ્રશ્નોત્તરની સૂચી નીચે પ્રમાણે છે. ૬૩૬ પ્રશ્ન પૂજા કરનાર શ્રાવકને દ્રવ્ય હિંસા લાગે અને તે જ પ્રમાણે નદી ઉતરતા સાધુને દ્રવ્ય હિંસા લાગે? જો ન લાગતી હોય તો ઈરિયાવહી કેમ કરે છે? પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળ સાધન પાસે હોવાથી પૂજા પ્રસંગે દ્રવ્ય હિંસા થાય પણ પાપનો બંધ પડે નહિ. કદાચ બંધ પડે તો તે ટકે નહિ પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હોવાથી નદી આદિ ઉતરતા હિંસા નથી કારણ કે તેઓ ભાવસ્તિવના અધિકારી છે તેથી નદી આદિ ઉતરતા જીવો મરી જાય છતાં મારવાની લેશ ઈચ્છા નથી ઉતરીને ઈરિયાવહી કરે છે તે પ્રમાદપૂર્વક ચલનક્રિયા થઈ હોય તેની આલોચના છે. ઉત્તર ૨૭૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy