SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ગામમાંથી ચારે દિશામાં રા ગાઉ જવા-આવવાનું કહ્યું એટલે જતા-આવતાના મળીને પાંચ ગાઉ કહ્યું. ગાઉ ગામના દરવાજેથી નહિ કે મધ્યભાગથી નહિં કિંતુ જે સ્થાનમાં સાધુ મહારાજા ચાતુર્માસ રહ્યા હોય તે સ્થાનથી ગણતરી કરવી. શ્રી કલ્પસૂત્રની મહોપાધ્યાય વિનય વિજયજીની ટીકામાં તેનો ઉલ્લેખ મળે છે. ૫૭૮ પ્રશ્ન કેટલાક ધર્મના સોગંદ ખાય છે તે યોગ્ય છે? કોઈના પણ સોગંદ ખાવા યોગ્ય નથી. દેવ, ગુરૂ કે ધર્મના સોગંદ ખાવા એ તો વિશેષ કરીને અયોગ્ય છે કારણ કે તેથી મિત્યાત્વની પ્રાપ્તિ થાય છે. શ્રી શ્રાદ્ધવિધિમાં આ અંગેનો પાઠ છે. પ૭૯ પ્રશ્ન શ્રી જિનકલ્પી સાધુઓ રાત્રિએ કેટલો કાળ નિદ્રા કરે? ઉત્તર શ્રી જિનકલ્પી સાધુઓ રાત્રિએ કદાપિ સૂએ જ નહીં. શ્રી આવશ્યક સૂત્રનો પાઠ છે નિઋત્પિવા સુવતિ | પ૮૦ પ્રશ્ન ઓછામાં ઓછી અને વધારેમાં વધારે કેટલા સાધુ હોય તો ગચ્છ કહેવાય? એક ગચ્છમાં ઓછામાં ઓછા ત્રણ સાધુઓ હોય તે જઘન્ય ગચ્છ કહેવાય અને વધારેમાં વધારે ૩૨૦૦૦ સાધુઓ હોય તો તે ઉત્કૃષ્ટ ગચ્છ કહેવાય. જે ગચ્છમાં ત્રણથી અધિક અને ૩૨૦૦૦થી એકપણ ન્યુન સાધુ હોય તો તે ગચ્છ મધ્યમ તરીકે ગણાય. શ્રી બૃહતકલ્પભાષ્યના પ્રથમ ખંડમાં લખેલ છે કે तिगमाईया गच्छा सहस्स बत्तीसई उसमसेणे । ૫૮૧ પ્રશ્ર શ્રાવકના વિસ્તારાર્થ પાક્ષિક અતિચારમાં આઠમાં અનર્થદંડ ઉત્તર (૨૫૯) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy