SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરૂ વીરને પુછે અષ્ટમીનો મહિમા કહો પ્રભુ અમને રે, વગેરેમાં પ્રશ્ન છે અને ઉત્તરરૂપે સ્તવન કે સ્તુતિ રચનાની બાકીની ગાથાઓમાં તીર્થ, યાત્રા, તપ કે પર્વની આરાધનનો મહિમા ગાવામાં આવ્યો છે. શૈલી અર્વાચીન જૈન પ્રશ્નોત્તર સાહિત્યના વિકાસમાં પૂ. પં. શ્રી નરવાહન વિજયજી પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. અભ્યાસ અને અધ્યયનમાં શંકા થાય તે સ્વાભાવિક છે. જુની પાઠશાળા પદ્ધતિથી અભ્યાસ તો થઈ જાય પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનનું દઢીકરણ શંકાનિવારણ માટે પ્રશ્નોત્તર સાહિત્યનો આશ્રય લેવો જરૂરી છે. અભ્યાસ કરતી વખતે પૂછવાની આળસ, શરમ કે પૂછીએ તો અણઆવડત પ્રગટ થાય તેના ડરથી ન પૂછવું વગેરે કારણોથી જ્ઞાનપ્રાપ્તિમાં કંઈક ઉણપ રહી ગઈ હોય તો પ્રશ્નોત્તર ગ્રંથોથી દૂર થઈ જાય છે. એટલે આ પ્રકારના સાહિત્યને અભ્યાસમાં યથોચિત ઉપયોગ જ્ઞાનમાર્ગમાં પારંગત થવા માટે મહત્ત્વનો ફાળો આપે છે. પ્રશ્નોત્તર કૃતિઓમાં હીરપ્રશ્ન અને સેનપ્રશ્ન સુખ્યાત છે. જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં (પા. ૫૯૫) સેન પ્રશ્ર ઉપરાંત પ્રશ્નોત્તર સંગ્રહ (રત્નાકર)ની પણ નોંધ છે એ બંનેના કર્તા-ઉત્તરકાર વિજયસેનસૂરિ છે. ક્ષમાકલ્યાણના શિષ્ય ઉમેદચંદ્ર સં. ૧૮૮૧માં રચેલ પ્રશ્નોત્તર શતકનો ઉલ્લેખ મળે છે. (પા. ૩૪૦) શીલગુણસૂરિના શિષ્ય માનતંગસૂરી કૃત જયન્તી પ્રશ્નોત્તર સંગ્રહ યાને સિદ્ધ જયન્તીનો અને એના ઉપર આ સૂરિજીના શિષ્ય મલયભે વૃત્તિ રચ્યાની અને એ વૃત્તિના ઉત્તર શ્રાવિકાએ સં. ૧૨૬૧માં લખાવી હતી. આ રચન અજિતપ્રભસૂરિને સમર્પિત કરવામાં આવી છે. વિવિધ આશયોથી ભિન્ન ભિન્ન પરંપરાને લઈને કરાયેલાં કથનોમાં વિસંવાદ જણાય એ સ્વાભાવિક છે. એનો સમન્વય કરવો એમાં જ ખરી ખૂબી રહેલી છે. આ અંગેની પહેલ કરનાર ભાષ્યકાર જિનભદ્ગણિ ક્ષમા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy