SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ પ્રશ્ન ત્રણ ગુપ્તિઓ કઈ કઈ હોય? ઉત્તર તે આ પ્રમાણે (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. ૩૧૬ પ્રશ્ન મનગુપ્તિ કોને કહેવાય? ઉત્તર મનને સાવદ્ય માર્ગમાંથી રોકીને નિરવદ્ય માર્ગમાં જોડવું અર્થાત્ સાવદ્ય પાપના વિચારો દૂર કરીને નિરવદ્ય પાપના વિચારોમાં મન પરોવવું તે મનગુપ્તિ કહેવાય છે. ૩૧૭ પ્રશ્ન મનગુપ્તિ કેટલા પ્રકારની હોય? કઈ કઈ ? ઉત્તર મનગુપ્તિ ત્રણ પ્રકારની હોય છે. (૧) અકુશલ નિવૃત્તિ, (૨) કુશલ નિવૃત્તિ અને (૩) યોગનિરોધ. ૩૧૮ પ્રશ્ન ક્ષમાધર્મ કોને કહેવાય? ઉત્તર છતી શક્તિએ પણ કષ્ટ સહન કરવાનો જે સ્વભાવ તે ક્ષમા અર્થાત્ સહનશીલતા કહેવાય છે. ૩૧૯ પ્રશ્ન ક્ષમા કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ? ઉત્તર ક્ષમા પાંચ પ્રકારની છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ ક્ષમા. ૩૨૦ પ્રશ્ન મુક્તિધર્મ કોને કહેવાય? ઉત્તર મુક્તિ એટલે નિર્લોભતા અર્થાત્ કોઈપણ ઈષ્ટ પદાર્થમાં કે વિષયમાં તૃષ્ણા-આસક્તિ ન રાખવી તે મુક્તિ ધર્મ કહેવાય ૩૨૧ પ્રશ્ન તપધર્મ કોને કહેવાય? ૧૮૭ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy