SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રશ્ન પર્યાય એટલે શું? ઉત્તર પર્યાય એટલે નાનામાં નાનો અંશ જે સૂક્ષ્મરૂપે હોય જેના કેવળજ્ઞાની ભગવંતો પણ એકના બે ભાગ ન કરી શકે એવો જ્ઞાનનો જે સૂક્ષ્મઅંશ તે પર્યાય કહેવાય છે. ૨૨૫ પ્રશ્ર પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉત્તર પ્રાભૃત નામના પ્રકરણોમાં નાના નાના અવાજોર પ્રકરણો આવે છે તે પ્રકરણોને પ્રાભૂત પ્રાભૂત કહેવાય છે. એવા એક શ્રુતનું જે જ્ઞાન કરવું તે પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કહેવાય છે. રર૬ પ્રશ્ન ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કોને કહેવાય? અને તે ક્યા જીવોને હોય છે? ઉત્તર ભવપ્રત્યયિક અવધિજ્ઞાન એટલે કે ભવમાં ઉત્પન્ન થાય કે તરત જ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા થાય અને તે દેવતા તથા નારકીના જીવોને હોય છે. જેમ પક્ષીઓને જન્મતાની સાથે જ પાંખ મળે છે તેવી રીતે અવધિજ્ઞાન જાણવું. ૨૨૭ પ્રશ્ર ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કોને કહેવાય? ઉત્તર સામાન્ય બોધ કરાવે એટલે કે આ જીવે ઘડો ચિંતવેલો છે એવા મનના પુગલોને સામાન્યથી જાણે અને જોઈ શકે તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. ૨૨૮ પ્રશ્ન વિપુલ મતિ મન:પર્યવજ્ઞાન કોને કહેવાય? ઉત્તર વિપુલ - વિશેષ પ્રાહિણી જે મતિ તે વિપુલમતિ કહેવાય છે. આ જીવ ઘટચિંતવેલો છે. તે પાટલીપુત્રનો છે, સોનાનો છે, માટીનો છે, ઈત્યાદિ વિશેષ ગ્રહણ જે કરી શકે તે પુગલોને જોઈ શકે તે વિપુલ મતિ મન:પર્યવજ્ઞાન કહેવાય ૧૭૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy