SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૧૬૯ પ્રશ્ન ઉત્તર ૧૭૦ પ્રશ્ન ઉત્તર એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી. પૂજક પુરૂષ તેનામાં વીતરાગભાવનું આરોપણ કરીને પૂજા કરે છે ત્યારે તે મૂર્તિ વીતરાગ સંદેશ જ બને છે અને વીતરાગની ભક્તિ જેટલું જ ફળ આપે છે. એ અપેક્ષાએ શ્રી જિનમૂર્તિ જિનેશ્વર સમાન છે. દુષ્ટ પરિણામવાળા પુરૂષને મૂર્તિના દર્શનાદિમાં કોઈ ફાયદો થતો નથી. ઉલટું અશુભ પરિણામથી કર્મનો બંધ થાય છે એ અપેક્ષાએ મૂર્તિ વીતરાગ સંદેશ નથી એમ કહેવું હોય તો કહી શકાય. પણ તેથી તેનામાં તારવાની શક્તિ છે એ ચાલી જતી નથી. સાકર મીઠી હોવા છતાં ગર્દભને ભાવતી નથી ઉલટું નુકસાન કરે છે તેથી કંઈ સાકરનો સ્વાદ નષ્ટ થઈ જતો નથી. તેમ મૂર્તિ પણ મિથ્યાસૃષ્ટિ જીવોને ન રૂચે તો તેથી તેની મોક્ષદાયકતા ચાલી જતી નથી. મૂર્તિ જો જિનરાજ તુલ્ય છે તો આ પાંચમાં આરામાં તીર્થંકરનો વિરહ કેમ કહ્યો ? ભરતક્ષેત્રમાં પાંચમાં આરામાં તીર્થંકરનો વિરહ કહ્યો છે તે ભાવ તીર્થંકરને આશ્રયની કહ્યો છે સ્થાપના અરિહંતને આશ્રયીને નહિં. કોઈ ગામમાં સાધુ ન હોય પણ તેમની છબી હોય તેમ છતાં એમ કહેવાય છે કે આ ગામમાં હાલ કોઈ સાધુ વિચરતા નથી તો તે વિરહ ભાવ સાધુનો જ સમજાય છે કોઈ એમ નથી માનતું કે આ ગામમાં સાધુની છબીનો પણ વિરહ છે. જિન પ્રતિમા સંબંધી ઉલ્લેખો કયા કયા સૂત્રમાં છે ? સૂત્રોમાં સેંકડો ઉલ્લેખો શ્રી જિન પ્રતિમા અને પૂજાના મળી આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં તંગીયા નગરીના શ્રાવકોના Jain Education International 2010_03 ૧૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy