SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ એકે ય ગામ પણ દેખાતું નથી, એવું મોટું જંગલ વિકુવ્યું. બાણ વરસી રહ્યાં છે. “ગામ સળગે તો રણમાં જાય અને રણ સળગે તો ગામમાં જાય' પણ અહીં તો રણ કે ગામ કાંઈ જ નથી. હવે ક્યાં જવું? પોટિલા દેવ કહે છે કે – તારે દીક્ષા સિવાય હવે બીજું શરણ નથી. આ સાંભળીને ચોમેરથી હતાશ થયેલા તે તેતલિપુત્રે દીક્ષા લીધી. આ તેતલિપુત્રને ચૌદ પૂર્વો પોતાની મેળે યાદ આવે છે. ૧૩૯ પ્રશ્ન આમ પરાણે દીક્ષા અપાવાય? ઉત્તર તેણે કહેલું હતું. કોઈ કહે કે ચાર વાગે મને જગાડજે, તો પછી ન જગાડે તો ગુનેગાર. આ ઉપરથી જ્ઞાનનો દેવલોકરૂપ પારભવિકતામાં અભાવ હોય, પણ તેને-ચૌદપૂર્વને ઉભયભવિકતાનો અભાવ નથી. અર્થાત્ એક ભવમાં મેળવેલ જ્ઞાન માટે પારભવિકનો અભાવ છે, પણ તેમાં ઉભયભવિકનું તે પછીના બીજા ભવસંબંધીનું અભાવપણું નથી. આ ભવે જેટલું જ્ઞાન હોય તેટલું દેવભવમાં ન હોય, તો પણ તેતલિપુત્રની જેમ તે દેવભવ પછીના ભાવમાં તો તેટલું જ્ઞાન હોય. તેને અનુસરતો પ્રશ્નોત્તર : ૧૪૦ પ્રશ્ન જ્ઞાન ઉભય ભવિક છે, છતાં ચોદ પૂર્વનું દેવપણામાં સંપૂર્ણપણે સ્મરણ ન હોવાથી શું ઈહ ભવિકપણું જ જાણવું? ઉત્તર દેવભવની અપેક્ષાએ સંપૂર્ણ સ્મરણનો અભાવ છતાં પણ ફેર મનુષ્યભવમાં આવ્યા પછી તેતલિપુત્રની માફક સંપૂર્ણ સ્મરણ થાય જ. આથી પરભવિકપણું નથી છતાં તેનો ઉભયભવિકપણાનો અભાવ નથી. (૧૪૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy