SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિક અસિદ્ધ અને અપર્યવાસિક અસિદ્ધ બીજા અનાદિક અસિદ્ધ અને સપર્યવસિત અસિદ્ધ. તેમાં પહેલા વિકલ્પમાં એ જીવોને ગ્રહણ કરેલા છે કે જેઓ કોઈપણ સમયે મુક્તિ મેળવી શકતા નથી. એવા જીવોને અભવ્ય કહેવામાં આવેલા છે જે અનાદિથી મિથ્યાત્વથી યુક્ત હોવા છતાં સમ્યક દર્શન રૂપ કારણોની પ્રાપ્તિથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એવા જીવોને બીજી કોટિમાં ગ્રહણ કરેલા છે. જે સાદિ અપર્યવસિત જીવ છે તેને અંતર હોતું નથી. હે ભગવનું અસિદ્ધ જીવનું અંતર કેટલા કાળનું હોય જે અનાદિ અપર્યવસિત છે, તેને પણ અંતર હોતું નથી. પરંતુ જે જીવ અનાદિ કાળથી અસિદ્ધ હોય છે. પરંતુ આ તેની અસિદ્ધતા અનંતકાળ સુધી રહેવાવાળી હોતી નથી. તો એવા જીવનું અંતર પણ હોતું નથી. સૌથી ઓછા સિદ્ધ જીવો છે અને તેના કરતાં અસિદ્ધ જીવ અનંતગણા વધારે છે અથવા સઘળા જીવો બે પ્રકારના છે. એક સેંદ્રિય અને બીજા અનિંદ્રિય તેમાં જે સેંદ્રિય છે તેઓ સંસારી છે, અને જેઓ અનિદ્રિય છે તેઓ મુક્ત છે. સેંદ્રિય જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. અનાદિ અપર્યવસિત (અભવ્ય) અને અનાદિ સપર્યવસિત (ભવ્ય) અનિંદ્રિય જીવ સાદિ અપર્યવસિત છે, બંનેમાં અંતર નથી. સૌથી ઓછા અનિંદ્રિય જીવ છે, અને તેના કરતા સેંદ્રિય જીવ અનંતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો બે પ્રકારના એક સકાયિક અને બીજા અકાયિક જે પ્રમાણેનું કથન ઉપરના જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે કથન કરી લેવું જોઈએ. આજ પ્રમાણે સઘળા જીવો સયોગી અને અયોગીના ભેદથી બે પ્રકારના છે. એ જ ૯૮ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy