SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અને ધર્મહતુ હોઈ વેપધારણ વગેરે ક્રિયાકલાપની વ્યવસ્થા કેવી છે? - એવો શ્રી ગૌતમપક્ષીય શિષ્યોને વિચાર થાય છે. અર્થાત્ બંનેનો ધર્મ શ્રી સર્વજ્ઞકથિત છે, તો તેના સાધનોમાં કેમ ભેદ છે? આ વસ્તુને અમો જાણવા ઈચ્છીએ છીએ આવી ચિંતા - વિચાર શ્રાવતી નગરીમાં રહેલ બંનેના શિષ્યોમાં ઉદ્ભવ્યો. મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાર મહાવ્રતરૂપ ચાતુર્યામ ધર્મ પ્રરૂપ્યો છે, જ્યારે મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રતરૂપ સાધુધર્મ દર્શાવ્યો છે. અહીં શિષ્યોનો ધર્મવિષયક સંશય વ્યક્ત કરેલ છે. શ્રી વર્ધમાનસ્વામીએ અચલકરૂપ આચારધર્મ દર્શાવ્યો છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રી વીરસ્વામીની અપેક્ષાએ માન-વર્ણથી વિશેષિતરૂપ સાન્તર અને મહામૂલ્યપણાએ પ્રધાનરૂપ ઉત્તર વસ્ત્રોવાળો આચારધર્મ કહ્યો છે. એક મુક્તિરૂપ કાર્ય - ફલને ઉદ્દેશી પ્રવૃત થયેલ બંને પ્રકારના આચારધર્મમાં ભેદનું શું કારણ છે? આવો આચાર વ્યવસ્થા ધર્મનો સંશય વ્યક્ત કર્યો છે એમ સમજવું. આ પ્રમાણે પરસ્પર શિષ્યોની ચિંતા પ્રગટ થતાં શ્રી કેશી અને શ્રી ગૌતમસ્વામીએ શું કર્યું? તેનું વર્ણન કરે છે કે શ્રાવસ્તીના ઉદ્યાનમાં રહેલા શિષ્યોનો આ વિચાર જાણી બંને યૂથપતિઓ સમાગમ મિલનમાં બુદ્ધિવાળા થયા અને ભેગા થવાનો સંકલ્પ કર્યો. યથોચિત વિનયરૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, જ્યેષ્ઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનરૂપ કુલને ગણતાં શ્રી ગૌતમસ્વામી શિષ્ય સમુદાયની સાથે પહેલ કરી હિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્યરૂપ યથોચિત પ્રતિપત્તિરૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક પલાલના પાંચમા ભેદરૂપ કુશતૃણોનું સમર્પણ શ્રી કેશીકુમાર શ્રમણ કરે છે. મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બને, (૭૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy