SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી પડિવત્તિમાં સંસારી જીવના સ્થાવરને ત્રસ એ બે પ્રકારોનું વિસ્તૃત વર્ણન છે. એવી રીતે બીજીમાં સ્ત્રી, પુરૂષ અને નપુંસકરૂપ જીવના ત્રણ પ્રકારોનું, ત્રીજમાં નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ જીવના ચાર પ્રકારોનું, ચોથીમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવના પાંચ પ્રકારોનું, પાંચમીમાં પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ જીવના છ પ્રકારોનું, છઠ્ઠીમાં નારકો તેમજ તિર્યંચાદિ ત્રણનાં પુરૂષો અને સ્ત્રીઓ એમ જીવના સાત (૧+૩+૩) પ્રકારનું, સાતમીમાં નારકાદિ ચારનો પ્રથમ સમય અને પ્રથમ સમય આશ્રીને બબ્બે ભેદો પાડી જીવોના આઠ પ્રકારનું, આઠમીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાય અને દીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય એમ જીવના નવ (પ+૪)પ્રકારનું, અને નવમામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના પ્રથમ સમય અને અપ્રથમ સમયને ઉદ્દેશીને બબ્બે ભેદો પાડી જીવના દસ પ્રકારનું વિસ્તારથી વર્ણન કરાયું છે. પ્રસંગવશાત્ ૧૫૬માં સુત્તમાં ભરતી અને ઓટના કારણ સમજાવાયાં છે. - વિવરણાદિ – જીવાજીવાભિગમ પર ચુણિ છે, પણ એ અમુદ્રિત છે. આના ઉપર હરિભદ્રસૂરિની ટીકા છે. વળી એના ઉપર મલયગિરિસૂરિનું વિવરણ છે, અને એ મૂળ સહિત છપાયેલું છે. આ વિવરણમાં મૂલ ટીકાનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે તે ઉપર્યુક્ત ચણિ છે કે ટીકા છે કે કેમ એની તપાસ બાકી રહે છે. વિ.સં. ૧૭૭૨માં જિનવિજયે આ ઉવંગ ઉપર બાલાવબોધ રચ્યો છે પણ એ છપાયો નથી. આના ઉપર એકબે ટબ્બા પણ છે. આ ઉવંગનું ગુજરાતી ભાષાંતર છપાયું છે. જૈન ગ્રંથાવલી (પૂ.૮)માં આ ઉવંગ ઉપર દેવસૂરિની લઘુવૃત્તિ હોવાનો ઉલ્લેખ છે તે શું વાસ્તવિક છે? શ્રી કેશીગૌતમીયાધ્યયન - ૨૩ ત્રણ લોકના લોકથી પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ ધર્મતીર્થકર, રાગ ૭૫) ૭૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy