________________
३४४
જૈન ધર્મના પુષ્પગુચ્છ સમભાવ આવ્યો, સમતા આવી અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્ત્વનું છે.
ચોથી પૌષધ પ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે “પૌષધ પ્રતિમા'ને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છેઃ
अट्ठमी माइ पव्वेसु सम्मं पोसहपालण।।
सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ।। [પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યક્ રીતિએ પોષ વ્રતનું પાલન કરવું તે ચોથી પોષધ પ્રતિમા
આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછા ચાર પૌષધ કરવાના હોય છે. શ્રત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત દિવસનો એટલે કે ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પોષધ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છેઃ પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લોં હોય, અથવા આઠ પહર રહે, પૌષધ પ્રતિમા સોય.
પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા પાંચમી પ્રતિમા “પડિમા' અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે? निक्कंपो काउसग्गं तु पुव्वुत्तगुणसंजुओ। करेइ पव्वराईसुं पंचमी पडिवन्नओ ।। [પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી.]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org