________________
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
૩૩૯ હતા. ‘ઉપાસકદશાંગસૂત્ર'માં લખ્યું છે: . तए णं से आणंदे समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढमं उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्चं सम्मं काएणं फासेइ, पालेइ, સોહે, તીરે;, રૂડું, મારાફ !
ત્યિારપછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી યાવત્ પહેલી ઉપાસક પ્રતિમા તેમણે યથાશ્રુત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ (સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી, તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.]
तए णं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्यं, पंचमं, छठं, सत्तम, अट्ठमं, नवमं, दसमं, एक्कारसमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अहातच्चं, सम्म If wાડુ, પલડું, સોહે, તીરે, વી. મારા
[ત્યાર પછી શ્રમણોપાસક આનંદ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પાર પાડી, અને કીર્તિત કરી.]
શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધસૂત્રના છઠા અધ્યયનમાં આવે છે.
આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે.
दंसणं वयं सामाइअ पोसह पडिमा अबंभसचित्ते ।
आरंभं पेस उद्दिट्ठ वज्जए समणभूए अ ।। અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છેઃ (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પોષધ પ્રતિમા, (૫) “પતિમાં પ્રતિમા' એટલે કાયોત્સર્ગ પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (બ્રહ્મચર્ય પ્રતિમા), (૭) સચિત્ત-વર્જન પ્રતિમા, (૮) આરંભ-વર્જન પ્રતિમા, (૯) પ્રેષ-વર્જન પ્રતિમા, (૧૦) ઉદિષ્ટ-વર્જન પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમા.
આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે :
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org