SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ-પરાવર્ત ૧૩૩ જીવ ચૌદ રાજલોકના સમગ્ર આકાશ પ્રદેશોને પ્રત્યેકને અનુક્રમે મરણથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પરાવર્ત થયો કહેવાય. કેટલાક શાસ્ત્રકારો ક્ષેત્ર પરાવર્તના બે ભેદ બતાવે છેઃ (૧) સ્વક્ષેત્ર પરાવર્ત અને (૨) પરક્ષેત્ર પરાવર્ત. સ્વક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ એક જીવ સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના સાથે ઉત્પન્ન થઈ ઉત્તરોત્તર ક્રમથી એક એક પ્રદેશ અધિક અવગાહના સાથે ઉત્પન્ન થતો થતો છેવટે મહામત્સ્યની ઉત્કૃષ્ટ અવગાહના સુધી પહોંચે અને એમાં જેટલી વાર લાગે તેને સ્વક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહે છે. પરક્ષેત્ર પરાવર્ત એટલે કોઈ જીવ સમગ્ર લોકાકાશના એક એક પ્રદેશને જન્મક્ષેત્ર બનાવતાં બનાવતાં બધા જ પ્રદેશોને જન્મક્ષેત્ર બનાવી રહે ત્યારે એક પરક્ષેત્ર પરાવર્ત થાય. સ્થૂલ અને સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત ‘પ્રવચન સારોદ્વાર'માં સ્કૂલ કાળ પરાવર્ત માટે કહ્યું છેઃ ओसप्पिणीह समया जावइया ते य निययमरणेणं । पुट्टा कमुक्कमेण कालपरट्टो भवे थूलो || [અવસર્પિણી (તથા ઉત્સર્પિણી)માં એના સમયોને જીવ ક્રમ-ઉત્ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે સ્થૂલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય.] જીવ અવસર્પિણી અને ઉત્સર્પિણીના જેટલા ‘સમય’ થાય તે સર્વ સમયને ક્રમ-અક્રમથી મરણ દ્વારા સ્પર્શે ત્યારે એક સ્થૂલ કાળ પુદ્ગલ પરાવર્ત થાય. કોઈ જીવ અવસર્પિણીના પ્રથમ ‘સમયે' મરણ પામ્યો ત્યાર પછી તે એ જ અથવા બીજી અવસર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે સમય ગણાય. વચ્ચે તે અવસર્પિણીના પંદરમા કે પચાસમા કે અન્ય કોઈ સમયે મરણ પામે તો તે ન ગણાય. તેવી રીતે અવસર્પિણીના બધા જ સમયને અનુક્રમે સ્પર્શવા જોઈએ. આ રીતે જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીના એટલે કે એક કાળચક્રના સર્વ સમયોને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે તે એક સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત થયો કહેવાય. સ્થૂલ અને સૂક્ષ્મ ભાવ પરાવર્ત શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવમાં સ્કૂલ ભાવ પરાવર્ત માટે કહ્યું છેઃ अनुभागवन्धहेतून् समस्त लोकाप्रदेशपरिसंखयान् । म्रियतः क्रमोत्क्रमाभ्यां भावे स्थूलस्तदावर्तः ॥ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy