SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પુગલ-પરાવર્ત પુદ્ગલ (પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત (પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર પૂરું કરવું. પુદ્ગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પુરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે ? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે ? કેવી રીતે કેવા ભાવથી કરે છે ?–એવા બધા પ્રશ્નોના ઉત્તર રૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્ત છે અને એ જોઇતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોયા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે. સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ-એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટા ભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે. દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને જેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જો કે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેઓમાં પણ તે વિશે ઊંડું ચિંતન કરનારા થોડા છે. પોતે અનાદિકાળથી સંસારમાં ચાર ગતિમાં ભટકી રહ્યો છે અને હવે સંસારચક્રમાંથી છૂટી મુક્તિ પ્રાપ્ત કરવી છે એવી લગનીવાળા અને તે પ્રમાણે આચરણ કરનારા જીવો તો બહુ જ અલ્પ સંખ્યામાં જોવા મળશે. વળી, પોતાનું સંસાર-પરિભ્રમણ કેટલા કાળથી ચાલે છે, તે કેટલું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy