________________ લેશ્યા સામાન્ય રીતે જોઇએ તો દરેક વ્યક્તિના ચહેરા ઉપર એમની ચામડીના વર્ણ ઉપરાંત કંઈક ચમક, ઝાંય કે આભા જેવું કશુંક વરતાય છે. બધા માણસોની પ્રકૃતિ, વિચારધારા, ભાવના ઇત્યાદિ એકસરખાં નથી હોતાં અને એકના એક માણસના વિચારો, ભાવો ઇત્યાદિમાં પણ વખતોવખત પરિવર્તન આવે છે અને તદનુસાર આ આભા બદલાતી દેખાય છે. એક ધૂપસળીમાંથી જેમ સતત ધૂમ્રસેર નીકળતી રહે છે અને એ વધતી ઘટતી કે વળાંકો લેતી રહે છે તેવી રીતે મનુષ્યના ચિત્તમાંથી વિચારધારા, ભાવતરંગ અવિરત વહ્યા કરે છે અને તેનો પ્રભાવ એના ચહેરા ઉપર, મસ્તક ઉપર અને અનુક્રમે સમગ્ર શરીર ઉપર પડે છે. આ ભાવતરંગ અનુસાર એની સાથે વિવિધ રંગનાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદ્ગલ પરમાણુઓ પણ નીકળે છે અને વિશેષત: મસ્તકમાં અને અનુક્રમે સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે. સામાન્ય અર્થમાં સમજવા માટે આ ભાવધારા અને પુદ્ગલ પરમાણુઓને વેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા' જેન ધર્મનો એક પારિભાષિક વિષય છે. એનો સંબંધ મનમાં ઊઠતા ભાવોની સાથે, આત્મામાં ઉદ્ભવતા અધ્યવસાયોની સાથે છે. વળી લેશ્યાનો સંબંધ વિવિધ અધ્યવસાયો સાથે ઉભવતા-પરિણમતા વિવિધરંગી પુદ્ગલ પરમાણુઓ સાથે પણ છે. આ પુદ્ગલ પરમાણુઓને દ્રવ્યલેશ્યા કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલા ભાવી, અધ્યવસાયોને ભાવલેશ્યા કહેવામાં આવે છે. લેશ્યા’ શબ્દના જુદા જુદા સામાન્ય અર્થ થાય છે, જેમ કે વેશ્યા એટલે તેજ, જ્યોતિ, કિરણ, જ્વાળા, દીપ્તિ, બિમ્બ, સૌન્દર્ય, સુખ, વર્ણ ઇત્યાદિ. લેશ્યા શબ્દના વિશેષ અર્થ થાય છે અધ્યવસાય, અંતઃકરણની વૃત્તિ, આત્મપરિણામ, અંતર્જગતની ચેતના, આભામંડળ, આત્મપરિણામ માટે નિમિત્તભૂત દ્રવ્યવિશેષ. પ્રાકૃતમાં ‘લેસ્સા' શબ્દ વપરાય છે. “લેસ્સા” શબ્દ “લમ્' ઉપરથી વ્યુત્પન્ન કરાય છે. “લમ્' એટલે ચમકવું. લેશ્યાની જુદી જુદી વ્યાખ્યા અપાય છે. ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છેઃ लेशयति श्र्लेषयतीवात्मनि जननयनानीति लेश्या / Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org