________________ 2 96 જૈન ધર્મના પુષ્પગુચ્છા न तादग भविता काल: सिद्धा: सोपचया अपि / यत्राधिका भवंत्येक-निगोदानंतभागत: / [એવો કાળ ભવિષ્યમાં આવવાનો નથી કે જ્યારે સર્વ (ત્રણે કાળના) સિદ્ધાત્માઓને એકત્ર કરવામાં આવે તો પણ એક નિગોદના અનંતમા ભાગ કરતાં અધિક થાય.] जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया / इक्कस निगोयस्स य, अणंतभागो उ सिद्धगओ / / [શ્રી જિનેશ્વર ભગવાનના માર્ગમાં જ્યારે જ્યારે (સિદ્ધગતિના જીવોની સંખ્યા વિશે) પૃચ્છા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ ઉત્તર મળશે કે એક નિગોદના અનંતમાં ભાગના જીવો સિદ્ધગતિમાં ગયા છે.] હવે આટલું તો નક્કી છે કે ચૌદ રાજલોકમાં મનુષ્યક્ષેત્રમાંથી મનુષ્ય ગતિના જીવો સતત મોક્ષે જાય છે. એટલે ચતર્ગતિરૂપ સંસારમાંથી જીવો તો ઓછા થાય છે. એક જીવ મોક્ષે જાય એટલે તે જ સમયે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. કારણ કે વ્યવહારરાશિની સંખ્યા કાયમ અખંડ રહે છે. પરંતુ અવ્યવહાર રાશિમાંથી તો જીવો સતત ઓછા થતા જાય છે. અવ્યવહારરાશિને સતત ફક્ત હાનિ જ થતી રહે છે. પરંતુ વ્યવહારરાશિમાં હાનિ અને વૃદ્ધિ બંને સરખી જ થતી રહે છે. એટલે વ્યવહારરાશિ હંમેશાં તુલ્ય સંખ્યાવાળી રહે છે અને અવ્યવહારરાશિને એકાન્ત હાનિ જ થયા કરે છે. આમ છતાં સિદ્ધગતિના જીવો એક નિગોદના અનંતમાં ભાગ જેટલા કેમ કહેવામાં આવે છે ? વળી, નિગોદના જીવો સતત ઘટતા જ રહે તો છેવટે (ભલે અનંત કાળે) એવો વખત નહિ આવે કે જ્યારે નિગોદમાં કોઈ જીવ બાકી રહ્યા જ ન હોય ? આ બે પ્રશ્નોનો ઉત્તર સમજવા માટે પહેલાં રાશિ વિશે સમજવું જરૂરી છે. સંખ્યાને સમજવા માટે મુખ્ય ત્રણ રાશિ છેઃ (1) સંખ્યાત, (2) અસંખ્યાત અને (3) અનંત. આ ત્રણેના પેટા પ્રકારો છે અને એના પણ પેટા પ્રકારો છે. (ચોથા કર્મગ્રંથમાં એ વિશે માહિતી આપી છે.) આ પ્રકારો બહુ જ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક છે. આધુનિક ગણિતશાસ્ત્ર પણ એ સ્વીકારે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org.