________________
૨૫૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ પૂજા'ની ઢાળમાં લખ્યું છેઃ
નમું સૂરિ રાજા, સદા તત્ત્વ તાજા;
જિનેન્દ્રાગમે પ્રોઢ સામ્રાજ્ય ભાજા. આચાર્ય મહારાજ માટે ભાવવંદ્યનું રૂપક પણ પ્રયોજાયું છે. તેઓ સંસારના જીવો જે કર્મજનિત દુઃખરૂપી રોગોથી પીડિત છે તેઓને પથ્યાપથ્ય સમજાવીને તત્ત્વજ્ઞાનરૂપી ઔષધ આપી સ્વસ્થ, નિરામય બનાવે છે. આચાર્ય ભગવંતને નાવિક તરીકે ઓળખાવવામાં આવે છે કારણ કે તેઓ જીવોને ડૂબતા બચાવે છે અને સંસારરૂપી સમુદ્રમાં પાર ઊતરવાનો ઉપાય બતાવે
છે.
નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી આચાર્ય ભગવંતને નમસ્કાર કરીએ છીએ. નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ દેવતત્ત્વ સ્વરૂપે છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્ત્વ સ્વરૂપે છે. એમાં પણ મુખ્ય ગુરુ તે આચાર્ય ભગવંત. જિન શાસનમાં ગુરુનો મહિમા અપાર છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી અને ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ માટે શ્વેતામ્બર સંપ્રદાયમાં “પંચિદિય” સૂત્ર સુપ્રસિદ્ધ છે. એમાં આચાર્ય ભગવંત-ગુરુ ભગવંતના ૩૬ ગુણ દર્શાવવામાં આવ્યા છે:
પંચિદિય સંવરણો, તહ નવવિહ બંભરવુત્તિધરો, ચઉવિહ કસાયમુક્કો, ઈહ અઢારસગુણે હિં સંજુરો; પંચ મહાવયજુત્ત, પંચ વિહાયારપાલણ સમન્થો,
પંચ સમિઈતિગુત્તો, છત્તીસગુણો ગુરુ મજ્જ. આ છત્રીસ ગુણ આ પ્રમાણે છેઃ પાંચ ઈન્દ્રિયોને જીતવાવાળા (૫ ગુણ); નવવિધ એટલે નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનાર (૯ ગુણ), ચાર કષાયથી મુક્ત (૪ ગુણ), પાંચ મહાવ્રતથી યુક્ત (૫ ગુણ), પાંચ પ્રકારના આચારનું પાલન કરનાર (૫ ગુણ), પાંચ સમિતિથી યુક્ત (૫ ગુણ) અને ત્રણ ગુપ્તિથી યુક્ત (૩ ગુણ)-એમ આચાર્યના ૩૬ ગુણ બતાવવામાં આવે
આચાર્ય ભગવંતના છત્રીસ ગણ બીજી રીતે પણ બતાવવામાં આવે છે? पडिरूवाइ चउदस खंतीमाइ य दसविहो धम्मो । बारस य भावणाओ सूरिगुण हुंति छत्तीसं ।।
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org