________________
૨ ૪૯
તિરસમો સૂર-આચાર્યપદનો આદર્શ શ્રીપાલરાસ'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ
અFમિયે જિનસૂરજ કેવળ, ચંદે જે જગદીવો;
ભુવન પદારથ પ્રકટન-પટુ તે, આચાર ચિરંજીવો. સૂર્ય આથમી જાય અને ચંદ્ર પણ આકાશમાં ન હોય એવા અંધકારમાં દીવો પ્રકાશ પાથરે છે એથી આપણે ક્યાંય ભટકાઈ પડતા નથી. તેવી રીતે તીર્થકર ભગવાનરૂપી સૂર્ય નથી અને કેવળજ્ઞાનીઓ રૂપી ચંદ્ર નથી ત્યારે મોક્ષમાર્ગમાં દીવો બનીને પ્રકાશ પાથરનાર તે આચાર્ય ભગવંતો છે. તેઓ જ જિનશાસનને અવિચ્છિન્ન ટકાવી રાખે છે. એટલે તેમનો ઉપકાર જેવો તેવો નથી. સૂર્ય અને ચંદ્ર એક એક છે, પરંતુ દીવા અનેક હોઈ શકે છે, વળી એક દીવામાંથી બીજા અનેક દીવા પ્રગટી શકે છે. એટલે આચાર્ય માટે દીવાની ઉપમા યથાયોગ્ય જ છે. કહ્યું છે :
जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो । दीवसमा आयरिया दिप्पंति परं च दीवंति ।।
જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે.
જૈન શાસનમાં તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં આચાર્યની પદવી ઊંચામાં ઊંચી છે. એટલે શાસનની ધુરા વહન કરનાર આચાર્યની પસંદગીનું ધોરણ પણ ઊંચામાં ઊંચું હોવું ઘટે. માત્ર ઉંમરમાં મોટા હોય તેથી કે માત્ર દીક્ષાપર્યાયમાં મોટા હોય તેથી આચાર્યપદને પાત્ર નથી બની શકાતું. આચાર્યપદ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચા અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તો પણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પદ્મવિજય મહારાજે કહ્યું છે કે
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિણવર સમ ભાખ્યા .”
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org