________________
૨ ૩૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ।। મિને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિઘ્ન. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિઘ્ન ન હો માટે મંગલ
વળી “વિશેષાવશ્યક ભાષ્ય'માં કહ્યું છેઃ मंगिज्जएऽधिगम्मइ जेण हियं तेण मंगलं होई । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।। [જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા “મંગલ'નો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે.] “મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે: मा गलो भूदिति मंगलम् । જેિ ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ.] मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [જેના વડે પ્રસન્નતા થાય તે મંગલ.] महान्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । જેિના વડે પૂજા થાય છે તે મંગલ.]
લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે.
જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થકર ભગવાનની માતાને આવતાં ચોદ (અથવા સોળ) સ્વપ્નો, દેવદેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતુ અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જેન, બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે પરંપરાની કુલ વસ્તુઓની સંખ્યા તો એથી પણ વધી જાય છે. મંગલ વસ્તુના દર્શનમાં શ્રદ્ધા દુનિયાના અન્ય ધર્મોમાં અને આદિવાસી જાતિઓમાં પણ જોવા મળે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org