SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ચિત્તની સ્થિતિ પ્રત્યે હૃદયનો વિશુદ્ધ ભક્તિભાવ હૃરી ઊઠે છે. ધનવા યોગ્ય છે માટે જ બને છે” એ માત્ર એટલું બધું પ્રસિદ્ધ છે કે ગમે તેવો અજ્ઞાન મનુષ્ય પણ તેથી બિનવાકેફ નહીં જ હોય, છતાં અણીના પ્રસંગે કેટલા થોડા વીર આત્માઓ એ નિયમના જ્ઞાનને સફળ કરી શકે છે ? ધન્ય છે મહાવીર પ્રભુને કે જેઓ આવા વિકટ પ્રસંગમાં પણ વૈર્યને ન તજતાં સંગમ ભણી છેવટ સુધી સમભાવ સાચવી રહ્યા હતા અને કર્મની ઉદયમાન થયેલી ગતિ પ્રત્યે પોતાના રાગદ્વેષના પ્રત્યાઘાત ન આપતાં છેવટ સુધી ચિત્તની સમસ્થિતિ નિભાવ્ય ગયા હતા. તેઓએ ધાર્યું હોત તો સંગમના પરિસહથી ઊગરી શક્યા હોત, એટલું જ નહીં, પણ સંગમને પણ તેની નિર્દયતાનો બદલો આપ્યો હોત, પરંતુ તેનું પરિણામ શું આવત? એ જ કે પ્રકૃતિના મહાનિયમને, સંગમ કરતાં પણ એક મહાબળવાન સત્તા પ્રભુની સામે રોકવી પડત અને જ્યાં સુધી તેવો અવસર આવે ત્યાં સુધી પ્રભુને તેનો બદલો લેવા સંસારમાં રોકાવું પડતું. તે સાથે કુદરતના મહાનિયમની ગતિમાંથી છટકવાના પ્રયત્નમાં અંતર્ગત થતી ચિત્તની રાગદ્વેષયુક્ત ઉપસ્થિતિથી, તેમનું આત્મસામર્થ્ય પણ ઘટી જાત અને એથી પોતાની પ્રાપ્ત વિશુદ્ધિને એક વાર ગુમાવી બેસત. જ્ઞાની જનો લાભ શેમાં છે એ બહુ સારી રીતે જોઈ શકે છે. સંગમના પરિસહથી છટકી જવામાં જે તેમણે લાભ જોયો હોત તો તેમ કરવું તેમને માટે બહુ સુલભ હતું, પણ તેમ કરવામાં તેમને આખરે કેટલો ગેરલાભ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy