SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ શ્રી મહાવીર એ તદન જુદાં જ કાર્યો છે. પૂર્વનું કાર્ય ફતેહમંદીથી કરવા માટે વ્યવસ્થાપક શક્તિ (Organizing power) આદિ લૌકિક સામર્થોની અપેક્ષા છે, ત્યારે પાછળનું કાર્ય કરવા માટે જનકલ્યાણ ઉપર વિશુદ્ધ પ્રેમ અને કાંઈ પણ અલૌકિક આશયના-પ્રભાવની જરૂર છે. પ્રભુએ પૂર્વનો હેતુ છેક ગૌણપણે રાખી માત્ર મનુષ્યના વાસ્તવિક અને ખરા હિત ભણી જ વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, અને જેમ બને તેમ પોતાને અનુભૂત થયેલા સુખદ સિદ્ધાંતોને જન-મન ઉપર ઊંડા કોતરવાનો જ ઉદ્યોગ કર્યો હતો. સંખ્યાના બળમાં શ્રદ્ધા રાખનાર ગોશાળાનો એક પણ અનુયાયી હિંદના ચારે ખૂણામાં આજે શોધ્યો પણ જડતો નથી અને તેના સિદ્ધાંત સંબંધ કાંઈ અવશેષ ચિહન સરખું પણ ભાગ્યે જ રહેવા પામ્યું ત્યારે માત્ર જનહિતની જ ચિંતા રાખનાર પ્રભુના અનુચારીઓની સંખ્યા છેવટે પંદર લાખ જેટલી પણ રહી શકી છે. જ્યારે બુદ્ધ જેવા એક કાળે (અશોકના કાળમાં) સમસ્ત હિંદ ઉપર ધર્મચક્ર વિસ્તારનાર દર્શનને હિંદમાં ઊભા રહેવાનું પણ આજે સ્થાન નથી, ત્યારે જૈન પોતાની ધર્મભાવનાની ઊંડાઈના બળથી અનેક વિરોધો અને વિકટ મામલાઓ વચ્ચે હજી સુધી પોતાનો પગ દઢપણે જમાવી રહેલ છે. આ પ્રતાપ માત્ર પ્રભુની ઉપદેશ શૈલીનો જ હતો. તેમની વાણીના અતિશય સંબંધી જે કાંઈ જૈન શાસ્ત્રો વદે છે તે તેમની ઉપદેશ-શૈલીનો પ્રભાવ દર્શાવવાનો પ્રયત્ન માત્ર છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy