SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચોથું મૌનનો મહિમા मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं । पंतं लुहं च सेवन्ति वीरा संमत्तदंसिणो ॥ મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે અને તેને માટે સમ્યકત્વદર્શી વીર પુરુષો પ્રાન્ત અને રૂક્ષ ભોજન કરે છે. – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર દીક્ષાના સમયથી લઈ કૈવલ્યપ્રાપ્તિના સમય સુધી બાર વર્ષ પર્વત મહાવીરભુએ મન ભર્યું હતું. તેમના ચારિત્રનો આ અંશ અત્યંત બોધક અને સ્વહિત સાધવા પ્રતિ જેમની દષ્ટિ છે, તેમને માટે અમૂલ્ય શિક્ષણથી ભરપૂર છે. તેટલા સમય સુધી તેમણે કોઈ પણ પ્રકારનો કોઈને મુદલ ઉપદેશ આપ્યો નથી. એટલું જ નહીં પણ તેવા પ્રસંગોનો બનતા સુધી પ્રયત્ન વડે પરિહાર કરેલો છે. જેમને કૈવલ્ય સિવાયના ચાર પ્રકારનાં જ્ઞાનો વિદ્યમાન હતાં એવા મહાવીર પ્રભુએ દીક્ષાકાળ પછી તુર્ત જ ઉપદેશની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હોત, તો જરૂર તેમાં તેમને જૂનાધિક અંશે સફળતા મળી હોત. પરંતુ તેમ ન કરતાં પોતાનું સર્વોત્કૃષ્ટ હિત સાધવા પર્યત તેમણે મૌન સેવવું યોગ્ય વિચાર્યું એ કયા હેતુ વિશેષ માટે હતું, એ કોયડો ઉકેલવા આપણે કાંઈક પ્રયત્ન યુના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy