SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૨૧ ક્યાંથી ઉત્તર આપે ? ગોવાળ બળદોને શોધવા આગળ ચાલ્યો. દરમિયાન બળદો ચરીને પાછા પ્રભુની પાસે આવી બેસી ગયા. ગોપ પાછો શોધતો શોધતો ત્યાં જ આવી ચડ્યો અને બળદોને પ્રભુની પાસે બેઠેલા જોઈ વિચાર્યું કે, જરૂર આ સાધુએ મારા બળદ ચોરી સંતાડી રાખેલા અને સવારમાં લઈ જવાની ખોટી દાનત રાખેલી હશે, એમ મન સાથે મસલત કરી પ્રભુને મારવા દોડ્યો. તે વખતે ઈન્દ્ર ઉપયોગ મૂકી અવધિજ્ઞાનના બળથી પ્રભુની કફોડી સ્થિતિ જોઈ ત્યાં દોડી આવ્યો અને ગોવાળને સમજાવ્યો કે “મૂર્ખ ! આ તો મહામુનિ છે. તારા બળદની તેમને કશી જરૂર નથી. તેમણે તો વિપુલ રાજ્યલક્ષ્મી ત્યજીને આ અવસ્થા ભજી છે.” ગોવાળ ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી ઈન્દ્ર પ્રભુને વિનંતી કરી કે, “હે નાથ ! હજી બાર વર્ષ સુધી આપને ઉપસર્ગોની પરંપરા થવાની છે. જો આપ કૃપા કરીને રજા આપો તો તેનું નિવારણ કરવા માટે હું આપની સાથે રહી સેવકનું કાર્ય કરું.” તે વખતે સમાધિ વારીને પ્રભુએ ઈન્દ્રને જે કાંઈ કહ્યું તે તેમની છઘસ્થાવસ્થાની અભુત જ્ઞાનમયતાને સૂચવનાર છે. કર્મના મહાનિયમને હસ્તામલકત સમજનાર પ્રભુએ ઉત્તર આપ્યો કે, તીર્થકરો પારકાની સહાયની કદી પણ અપેક્ષા રાખતા નથી. અહંતો બીજાની મદદથી કેવળજ્ઞાન ઉપાર્જે તેમ કદી બનતું નથી. આત્મા પોતાની જ શક્તિથી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે.) આત્મકાર્યમાં મહાપુરુષો પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિનો કે સિદ્ધિનો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy