SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વિરક્તિની અને અગાધ આત્મબળની પણ કલ્પના કરવી વીસરવી જોઈતી નથી. તે સહિષ્ણુતાનું ઉત્પત્તિસ્થાન વિલોકવું, જો આપણે ભૂલી જઈએ તો પ્રભુના ચરિત્રમાંથી આપણા માટે ઉદ્ભવતો અરધો અરધ સાર નિષ્ફળ જવાનો, આત્માના કોઈ ઉત્તમ વર્તનની સ્તુતિ કરવાની સાથે તે વર્તન આત્માના કયા અંશમાંથી ઉદ્દભવ્યું તે જો ન અવલોકાય, તો તે સ્થલ વર્તન આપણને બહુ લાભપ્રદ થવાનું નહીં. બાહ્ય વર્તનમાં માત્ર આપણને આશ્ચર્યવિમુગ્ધ કરવાનું (mystification) બળ છે, પણ તેના પ્રભવસ્થાનને જાણવાથી તે આશ્ચર્ય અળપાઈ જઈ, જે પ્રથમ ક્ષણે અદ્ભુત ભાસ્યું હતું, તે શક્ય અને બુદ્ધિગમ્ય થતું (rationalization) ભાસે છે. ટૂંકામાં, પ્રભુનું અમોધ ધૈર્ય, સહનશીલતા, સમભાવ, શત્રુ અને મિત્ર પ્રત્યેની સમાન દૃષ્ટિ; એ સર્વ તેમના આત્માની વિશુદ્ધિમાંથી પ્રગટ્યું હતું. શ્રી મહાવીર દીક્ષા ગ્રહણ કર્યા પછી એકદા કુમાર નામના ગામની નજીક આવી પહોંચ્યા. ત્યાં નાસિકાના અગ્રભાગ ઉપર નેત્ર આરોપી, બે હસ્તને લાંબા કરી, સ્થિર મૂર્તિની જેમ કાયોત્સર્ગપૂર્વક ઊભા હતા તે વખતે કોઈ ગોવાળ પોતાના બળદોને હાંકતો હાંકતો ત્યાં આવ્યો અને ત્યાં પ્રભુની પાસે તે બળદોને રેઢા ચરતા મૂકી, કાંઈ કામપ્રસંગે ચાલ્યો ગયો. તેના ગયા પછી પેલા બળદો ચરતાં ચરતાં ક્યાંઈ ચાલ્યા ગયા. ગોવાળ પાછો આવીને જુએ છે તો બળદો જોયા નહીં. પ્રભુને બળદોની ખબરઅંતર વિષે પૂછી જોયું, પણ પ્રતિમાધારી ધ્યાનસ્થ પ્રભુ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy