SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ સુનંદા તીર્થસ્વરૂપ બનાવતા આ પુરુષ પોતાનો જ પુત્ર છે – વેદનો પારગામી બનશે એવી જે આશા રાખેલી તેને બદલે આજે સંસારને નવો સંદેશ સુણાવનાર આ પયગંબર પોતાનો જ પુત્ર છે. માતા દેવાનંદાને, ખોવાયેલી અદ્દભુત સમૃદ્ધિ અનાયાસે મળી ગઈ હોય - વ્યાજ સાથે મૂળ રકમ મળી ગઈ હોય એટલો આનંદ તે દિવસે થયો હશે. એ પછી પ્રભુની દેશના સાંભળી માતા દેવાનંદા અને ઋષભદત્ત દીક્ષા લે છે. બંને જણ મહાવ્રતને ઉજાળતાં, વિવિધ તપ અને જ્ઞાનાધ્યયન કરતાં, કેવળજ્ઞાન પામી, જીવનની છેલ્લી સિદ્ધિ-મુક્તિને વરે છે. (૨) માતા દેવાનંદાને પૂજનારી સુનંદાની વાત તમે સાંભળી છે ? દક્ષિણમાં-કર્ણાટકમાં જ્યારે જૈન ધર્મની ધજા રાજમહેલો ઉપર ફરકતી ત્યારે કાનડી સાહિત્યને જૈન સાહિત્યસ્વામીઓએ ખૂબ રસતરબોળ બનાવેલું. જૈન ઈતિહાસ અને કથાનુયોગનાં પાત્રો ઉપર ભક્તિ અને પ્રતિભાનાં પ્રકાશકિરણ પડેલાં. ભુલાયેલાં પાત્રોને પણ એ સાહિત્ય સજીવ બનાવેલાં. માતા દેવાનંદાની ભક્તિ-પૂજા કરનાર સુનંદાની એવી જ એક વાત ઉતારું. દધિમુખ પર્વતના શિખર ઉપર એક રમણીય દેરાસર હતું અને દેરાસરની પાસે જ એક જૈન આશ્રમ હતો. આશ્રમમાં શ્રાવિકાઓ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy