SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ માતા દેવાનંદા જ બાળ છે, તો કોઈક દિવસે આઘે ઊભા રહીને પણ એ પોતાના મટી ગયેલા બાળનું મો જોઈ શકત, ગૌરવથી પોતાના અંતરને ભરી દઈ શકત. પણ ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ પાસે પાસે હોવા છતાં, ભગવાન મહાવીરના જન્મોત્સવથી માંડી દીક્ષા મહોત્સવ સુધીના અનેક પ્રસંગોમાં ક્યાંય દેવાનંદા માતા પ્રેક્ષક તરીકે આવ્યાં હોય એમ નથી લાગતું. ગામમાં જ્યારે વર્ધમાનકુંવરને અથવા તો મહાવીરને જોવા . માટે લોકોનાં ટોળાં ઉભરાતાં હશે ત્યારે પણ દેવાનંદા માતા તો ઘરનો ખૂણો ઝાલીને જ બેસી રહ્યાં હોય એમ જણાય છે. ગભપિહરણ પછી એમનો રસ અથવા આનંદ છેક સુકાઈ ગયો લાગે છે. બીજાના પરાક્રમી, તપસ્વી, જ્ઞાની પુત્રોની વાતો જ્યારે તેઓ સાંભળતાં હશે ત્યારે એમને ચૌદ સ્વપ્નસૂચિત પુત્રનું સ્મરણ થઈ આવતું હશે. દેવે પોતાને ઠગી છે એ કઠોર સત્યનું ભાન થતાં એ મમતાળુ માતાનું હૈયું અંદરથી કેવું વલોવાઈ જતું હશે તે એમના સિવાય બીજું કોણ સમજી શકે ? એટલે જ એમ લાગે છે કે ગભપહરણ પછી દેવાનંદા માતાએ અંતઃશોધન પાછળ એક માત્ર લક્ષ આપ્યું હશે. આખરે એક અકસ્માત બની જાય છે. વીરપ્રભુ વિહાર કરતાં એક દિવસે બ્રાહ્મણકુંડ ગામમાં આવે છે. ત્યાં બહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાઓએ રચેલા ત્રણ ગઢવાળા સમવસરણમાં વ્યાખ્યાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy