________________
ગુજરાતનું જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય
ગણવો જોઈએ. એ ગાળામાં જૈનાચાર્યોએ માત્ર ધાર્મિક જ નહિ પણ લૌકિક આખ્યાનો રચીને પ્રાકૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું. સંસ્કૃત ભાષામાં પણ આખ્યાનો અને કથાનકો રચાયાં. આ કથાઓને લોકભોગ્ય અને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર પ્રેહિલિકા વગેરેનો પણ આધાર લીધો. જૈનાચાર્યો દ્વારા રચાયેલી કથાઓમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, દરિદ્ર, ચોર, જુગારી, અપરાધી, ધૂર્ત, વેશ્યા, ચેટી, દ્યૂત વગેરે સામાજિક સ્તરના વિવિધ પાત્રોનું નિરૂપણ કર્યું છે. ‘સમરાઇચ્ચકહા’ કે ‘કુવલયમાલા' જેવી બૃહદ્ કથાઆમાં જનસમાજનું વ્યાપક અને વિવિધલક્ષી પણ રસપૂર્ણ નિરૂપણ થયું છે. વિવિધ સ્થળે વિવરણ કરતા જૈન સાધુઓ તે તે દેશનું લોકજીવન, રૂઢિ, રીતિરીવાજો અને લોકભાષા આદિનું નિરીક્ષણ કરીને તેની વિશેષતાઓને મનોરમ રીતે કૃતિમાં ગૂંથી લેતા. તેનું કેન્દ્રબિન્દુ ધર્મદેશના કે જૈન ધર્મના પ્રચાર-પ્રસારનું હોવા છતાં તેમાંથી તત્કાલીન સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે દૃષ્ટિએ અનેકવિધ માહિતી ઉપલબ્ધ થાય છે. જૂની ગુજરાતી ભાષામાં રચાયેલા ઘણા ગ્રંથોનો મૂળ સ્રોત આ પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલા વિપુલ સમૃદ્ધ જૈનસાહિત્યમાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૧૭૯
www.jainelibrary.org