SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ ૧૪૯ માંડીને સાંસારિક જીવનના વિવિધ પ્રશ્નો, રાજ કેમ ચલાવવું, ધાર્મિક આચારવિચાર, આદર્શ રાજા, પ્રધાન અને વણિકના ગુણો, રજપૂતોની છત્રીસ જાતનાં લક્ષણો, આજીવિકાનાં સાધનો લેખે વ્યાપાર, વિદ્યા, ખેતી, પશુપાલન, વિજ્ઞાન, નોકરી અને ભિક્ષા વિશેનાં દૃષ્ટાંત સહિતના કવિતોમાં ઋષભદાસનું પાંડિત્ય પ્રગટ થાય છે. વણ્યવિષયની યાદીઓ ક્યારેક પરંપરાગત બની જતી હોવા છતાં રૂઢ પણ તાજગીવાળાં વર્ણનોમાં પ્રમાણવિવેક જળવાયો છે. માનવહૃદયની ભીતરનાં ભાવસંવેદનો જ્યાં ઝિલાયાં છે ત્યાં હ્યદ્ય કાવ્યખંડો મળી આવે છે. સંસારના ખરા જાણકાર કવિએ લોકવ્યવહારમાંથી વીણેલાં ઉપમા, સૂચક અને દષ્ટાંતોને કારણે આ નિરૂપણો વેધક બન્યાં છે, આવાં વર્ણનોથી કથાતંતુ ક્યારેક લંબાતો લાગે છે પણ રસ ખંડિત થતો નથી. હાસ્ય કટાક્ષ મર્મયુક્ત ઉપમાઓ અને દષ્ટાંતોથી કવિ પોતાના કથયિત્વનું સચોટ પ્રતિપાદન કરે છે. ભારતના સૈન્યને આવતું જોઈને મ્લેચ્છો વિચારે છે કે આવા કાયરના સૈન્યને પરાભવ આપવો એ તો રમતવાત છે. તેમના આ મનોભાવને પ્રગટ કરવા કવિ કેવાં ઉત્તમ દષ્ટાંતો યોજે છે તે જોઈએ : જયારે કોપ કરે જ કુઠાર, કેળ કાપતાં કહી વાર ! કમળ ઉપર કોપ્યો કરિ, ઉખેળતાં ક્ષણ લાગે જ ખરી ? સિંહને મૃગ હણતાં શી વાર? રવિ ક્ષણમાં ટાળે અંધાર, આતૂર થિર કે પેરે થાય, પંચડ કોપ્યો જ્યારે વાય ! વાણીનું બળ-કાવ્યો ઓજસગુણ પણ નોંધપાત્ર બને છે. રણમાં વીંઝાતી તલવારો અને વરસતાં બાણોનું સ્પષ્ટ શબ્દચિત્ર કવિ એક જ પંક્તિમાં કુશળતાથી આલેખે છે : તરવારો જિમ વીજળી, બાણ વરસે મેહ, સત્સંગનું ફળ કેવું ક્ષણિક હોય છે તે દર્શાવવા કવિ કહે છે : એક નર જગમાં લોઢા સરીખા, અગ્નિ મળે તવ રાતું જી, અગ્નિ ગયે કાળાનું કાળું, રક્તપણું તલ જાતું જી, ગુરુ-યોગ મળ્યો નર જ્યારે, ધર્મ મતિ હુઈ ત્યારે જી, જવ ગુરુથી તે અળગો ઊડ્યો, તવ તે પાપ સંભારે જી. કુમારપાલ રાસ” ના પ્રથમ ખંડમાં આવતું આંબાના વૃક્ષનું વર્ણન પણ મનોહારી છે. માનવહૃદયની ઊર્મિઓને તાદ્શ રીતે આલેખીને પણ કવિ રસજમાવટ કરી શકે છે. નેમિનાથજીનું સ્તવન' માં પશુઓના ચિત્કાર સાંભળીને નેમિનાથ લગ્ન મંડપમાથી પાછા ફરી જાય છે ત્યારે રાજિમતીના હૃદયની વેદનાનું કરેલું નિરૂપણ મર્મસ્પર્શી બન્યું છે. રાજિમતી પતિવિરહનું કારમું દુઃખ આવી પડવાના કારણરૂપે જ્યારે પોતાના જ દોષ આગળ કરીને આક્રંદ કરી ઊઠે છે ત્યારે કરુણરસ વિશેષ ઘેરો બને છે : Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy