________________
વિવિધા
પાતકોને યાદ કરતાં કરેલી જીવહિંસા વિશે વિચારે છે, ત્યારે કવિ ‘જીવ, તૃણ, થાવ મેં હણ્યાં'...એમ શરૃ કરીને દરેક પશુ, પખી, જીવજંતુઓની યાદી કવિ આપે છે. અલબત્ત, કવિ આવી નામ-યાદીઓ કે સ્થૂળ વિગતોનાં વર્ણનો આપીને જ અટકે છે એવું નથી, તેમાં કવિની વિદ્વત્તાની સાથે માનવમન વિશેની વ્યાપક ઉદાર સમજ અને સંવેદનશીલતાનો પણ પરિચય મળે છે. દૃષ્ટાંત તરીકે ભરતનું સૈન્ય નાસભાગ કરે છે ત્યારે તે જોઈને ભરતને દુ:ખ થાય છે; ત્યારે દુ:ખી કોણકોણ હોઈ શકે તે વિશે કવિ કહે છે ઃ
૧૪૮
વેશ્યા વિણ રૂપેં દુઃખી, યોગી ધનસંચે, નિદ્રા નહિ નર રોગિયો, બહુ માંકણ મંચે, પુત્ર કુવ્યસની જેહનો તે દુખયો બાપ. દુઃખ મોટુ ભૂઇ સૂએ, ઘર માંહિ સાપ. તાની કંઠ વિના દુ:ખી, પંડિત વિણ વાણી, વૈદ્ય દુઃખી તન રોગિયો ન લહે નિસાણી, સતી સ્ત્રીને એ દુઃખ ઘણું, નર મૂકી જાય, રણમાં દળ ભાગે તદા, દુઃખ મોટું રાય.
બાહુબળ અને ભરતનુ યુદ્ધ પૂરું થતાં બાહુબળ કોણ નમે અને કોણ ન નમે તે વિશે વિચાર છે :
ન નમે સોય નિર્ગુણી, નમે સોય ગુણવંત, ન નમે વૃક્ષ સૂકો, લલો તરુ નમંત. ન નમે તે વાંકો વીંછી તણો અંકોરો, નમતો અહીં મણિધર, જેહ ગુણે કરી પૂરો. ન નમે નવ હાલે, કૂપ તણાં જે પાણી, નમે ગિરૂઓ જલધર, પરઉપકાર જ જાણી.
જનજીવનનો બહોળો અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોથી તેમનું કયિતવ્ય ચોટદાર અને માર્મિક બન્યું છે. આવાં તો અનેક દૃષ્ટાંતો તેમની કૃતિઓમાંથી ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત રોજબરોજના જીવનની અનેક બાબતોને વિસ્તારથી અને રસમય રીતે કવિ આલેખે છે. શુભ અને અશુભ સ્વપ્ન, સ્વપ્નમાં જોયેલી વસ્તુઓને આધારે ફળનિર્દેશ, સ્વપ્ન જોયાના સમયને આધારે ફળપ્રાપ્તિનો સમય, સાચો દાતા, ધનનું માહાત્મ્ય, નામ પ્રમાણે ગુણ ન હોવા વિશે, પુરુષ અને સ્ત્રીનાં બત્રીસ લક્ષણો, પદ્મિણી, હસ્તિની, ચિત્રણી અને શંખિણી સ્ત્રીઓના આચારવિચાર, ઉત્તમ અશ્વ અને તલવારનાં લક્ષણો, શુક્ર-અપશુકનો, કર્મફળ વિશે વિચારતાં સીતા, મલ્લિનાથ, શિવકુમાર, સુલસ શ્રાવક, અર્જુનમાલી, પરદેશી રાય, શ્રેણિક, નંદન મણિયાર આદિ અનેક મહાન સ્રીઓ તથા પુરુષોને ભોગવવાં પડેલાં દુઃખો - એમ અનેક બાબતોને કવિએ પૂરી ચોક્સાઈથી અને સંપૂર્ણ રીતે વર્ણવી છે. તેલમર્દન અને દાતણવિધિથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org