SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ . શ્રી ગણેશનું આધ્યાત્મિક સ્વરૂપ માયિક માયાચાલક સત્તાનો સૂચક છે. મુદ્દગલપુરાણમાં કહ્યું છે કે एकशब्दात्मिका माया तस्यां सर्व समुद्भवम् । दन्तः समाधरस्तत्र मायाचालक उच्यते ॥ ગણપતિનું એકદન્તી હોવું તે એમની અદ્વૈતપિર્યતા દર્શાવે છે. એમ પણ માનવામાં આવે છે કે એકદન્ત ગણપતિ પ્રકૃતિપુરુષની એકતાના પ્રતીક અથવા ઘોતક છે. શ્રી ગણેશજીને વક્રતુણ્ડ પણ કહેવામાં આવે છે. “વક્ર'' એ માયાસૂચક છે અને ‘તુચ્છ' એ બ્રહ્મવાચક છે. મુદ્દગલપુરાણ અનુસાર માયામય સુખ મોહયુક્ત છે. તેથી તેને વક્ર કહેવામાં આવે છે. “તુમ્હ’ શબ્દ બ્રહ્મનો બોધક છે એ બંનેનો યોગ થવાથી ગણેશ વક્રતુણ્ડ કહેવાય છે. તેમના કઠથી નીચેનો ભાગ ‘વક્ર' અને “તુણ્ડ' એટલે મસ્તકનો ભાગ બ્રહ્મવાચક છે, તેથી તે વક્રતુણ્ડ છે. - ગણપતિના કાન સૂપડાકાર, ગજકર્ણક કહેવામાં આવે છે. સૂપડાની જેમ તે મેલને ઉડાડી મૂકે છે, મનના મેલનો નાશ કરે છે. નાગનું યજ્ઞોપવીત કુણ્ડલિનીનો સંકેત કરે છે તથા મસ્તક પરનો ચંદ્રમાં સહસ્ત્રાર ચક્રની ઉપર સ્થિત અમૃતવર્ષણ ચંદ્રમાનું પ્રતીક છે. લોકનેતૃત્વ સ્વરૂપ : શ્રી ગણેશે લોકહિતકારી મંગલમય આદર્શોને પણ ચરિતાર્થ કર્યા છે. સર્વેથી અગ્ર-પ્રથમ એટલે કે નેતૃત્વ ધારણ કરનારા હોવાથી તેમણે લોકનેતાના આદર્શો તરફ સંકેત કર્યો છે. લોકનેતાની દૃષ્ટિએ તેમના સ્વરૂપનો વિચાર કરીએ. ગણ' શબ્દનો એક અર્થ ગુણ એટલે કે સદગુણ પણ થાય છે. ગુણરૂપી ગણોથી અલંકૃત મનુષ્યને જ લોકો નેતા તરીકે નિયુક્ત કરે છે. સદગુણોના સમુદ્રરૂપ ગણપતિ તેથી જ ગણનાયક તરીકે સુપ્રસિદ્ધ છે. સાર્થક જીવન જીવવા માટે સ્થૂલ પદાર્થોને જોઈ શકનાર નેત્ર ઉપરાંત ત્રીજું જ્ઞાનરૂપી નેત્ર પણ મનુષ્યએ ધારણ કરવું જોઈએ. જ્ઞાનાવારિધિ શ્રી ગણેશનું લલાટગત ત્રીજું નેત્ર આ ભાવને વ્યક્ત કરે છે. ગણપતિની આંખો નાની-ઝીણી છે. ઝીણી આંખે જગતનું દર્શન કરવાથી વસ્તુનું તલગામી દર્શન થઈ શકે છે. અથવા નિરીક્ષણની વિશિષ્ટ શક્તિ ‘ઝીણી આંખો' દ્વારા વ્યક્ત થાય છે. લોકનાયકે સહૃદયભાવથી લોકોની આપત્તિની વાત સાંભળવી જોઈએ. ગણપતિ ગજકર્ણક હોવાને કારણે લોકોના દુ:ખની વાતો પોતાના વિશાળ કાનથી સાંભળે છે. તેમના કાન શુર્પકર્ણ અર્થાત્ સૂપડા જેવા છે. તેનાથી તે ભક્તની કમરજને, માયાજનિત મેલને સૂપડાની જેમ દૂર કરે છે. નેતાએ જનસમૂહ સાથે વ્યવહાર કરતી વખતે અતિ ગંભીર કે કઠોર મુખભાવ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004576
Book TitleVividha
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2008
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy