________________
વિવિધા
છે. અંકુશ પ્રવૃત્તિ તથા રજોગુણનું ચિહ્ન અને વરમુદ્રા સત્ત્વગુણનું પ્રતીક છે “મોદ' નો અર્થ આનંદ પ્રદાન કરનાર એવો થાય છે. અર્થાત્ ગણપતિના ઉપાસક તમોગુણ, રજોગુણને સત્વગુણ એ ત્રણેથી પર થઈને વિશેષ આનંદનો અનુભવ કરે છે.
ગણેશ ચતુર્ભુજ છે, કારણ કે તે દેવતા, નર, અસુર અને નાગ-એ ચાર વર્ગ તથા ચાર વેદોનું સ્થાપન કરનાર છે. તે ભક્તોના અનુગ્રહ માટે પોતાના ચાર હાથમાં પાશ, અંકુશ- વર-મુદ્રા અને અભય-મુદ્રા ધારણ કરે છે. ભક્તોના મોહરૂપી શત્રુને ફસાવવાનું કાર્ય પાશ કરે છે, તથા અંકુશ તે સર્વ જગતનું નિયંત્રણ કરનાર છે. દુષ્ટોનો નાશ કરનાર બ્રહ્મ “દત્ત' છે અને સર્વ કામનાઓને પૂર્ણ કરનાર વર-મુદ્રા છે. તેમના હાથમાં જે મોદક છે, તેની આકૃતિ ગોળ છે તે ગોળાકાર મહાશૂન્યનું પ્રતિક છે. આ દષ્ટિની સીમામાં આવતું સમગ્ર જગત શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં વિલીન થાય છે. તેથી આ શૂન્ય કે મોદકનો ગોળાકાર એ પૂર્ણત્વનું પ્રતીક છે.
ચમ્પતરાયજીના કહેવા પ્રમાણે ઉંદર વિવેચક, વિભાજક ભેદકારક, વિભારક ને વિશ્લેષક બુદ્ધિનું પ્રતીક છે. ગણપતિનો શિરોચ્છેદ અહંકારનો નાશ સૂચવે છે. હાથીનું મસ્તક ધારણ કરવું તે સંયોજક, સમન્વયકારક અને સંશ્લેષક બુદ્ધિનો ઉદય સૂચવે છે. લંબોદરનું તાત્પર્ય એ છે કે અનેક બ્રહ્માણ્ડ એમના ઉદરમાં સમાયા છે.
હાથી જેવું મસ્તક અને લાંબુ ધૂળ જેવું શરીર એ ગણેશજીની શુભ આકૃતિ છે. એમનું સ્થૂળકાય નામ પણ પ્રખ્યાત છે. બાળકો હૃષ્ટપુષ્ટ રહે એ ભાવનાનું પ્રતીક એમનું શરીર છે. ભગવાન ગણપતિ વિશાળકાય છે. પણ એમનું વાહન ઉંદર અત્યંત લઘુકાય છે. અન્ય દેવોના વાહનમાં સિંહ, અશ્વ, ગરુડ, મયૂર વગેરે પશુ-પક્ષીઓ છે. ભગવાનના સંપર્કથી એમના વાહનને પણ મહત્તા પ્રાપ્ત થાય છે. મહામહિમા ભગવાન લઘુમાં લઘુ પ્રાણીઓને પણ અનુગ્રહિત કરે છે એ ભાવ એમાં સ્વીકારાયો છે. ઉંદર એ વિશ્લેષણાત્મક તથા તાર્કિક બુદ્ધિનો દ્યોતક છે.
મૂષક શબ્દ મૂપ + તે થી બન્યો છે. તેનો અર્થ થાય છે ચોરી કરનાર, મનુષ્યના મનમાં જે ચોરી કરવી...વગેરે પાપવૃત્તિઓ હોય છે તેનું પ્રતીક મૂષક છે. શ્રી ગણેશ તે મૂષક પર આરૂઢ થાય છે. અર્થાત્ ચરણ દ્વારા નિયંત્રણમાં રાખે છે. શ્રી ગણેશના ચિંતન અને સ્મરણથી અંદરના દુર્ગુણના નાશ પામે છે. મૂષક વાહનનો અર્થ દુષ્ટો અને દુવૃર્તિઓનું શમન એવો પણ થાય છે.
હાથીને પોતાનો દાંત ખૂબ પ્રિય હોય છે. એ એને હંમેશા શુભ્ર રાખે છે. ગણપતિએ આ દાંતનો અગ્રભાગ તોડી એને તીક્ષ્ણ બનાવી એનાથી મહાભારતલેખનનું કામ કર્યું. વિદ્યોપાર્જન, ધર્મ અને ન્યાયને માટે પ્રિય વસ્તુઓને પણ ત્યાગવી જોઈએ એ રહસ્યને એમણે આ રીતે પ્રતિપાદન કર્યું છે.
શ્રી ગણેશ એકદન્ત છે. ‘એક’ શબ્દ માયાનો બોધક છે. અને “દન્ત’ શબ્દ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org