________________
૧ ૨૮
વિવિધા
ચાર યોગ ઉપદેશના મુખ્ય ચાર પ્રકાર છે. ૧. દ્રવ્યાનુયોગ :- લોકને વિશે રહેલાં દ્રવ્યો, તેના સ્વરૂપ, ગુણષ ધર્મ, હેતુ,
અહેતુ, પર્યાય આદિ અનંત પ્રકારે છે. તેનું વર્ણન જેમાં છે તે
દ્રવ્યાનુયોગ. ૨. ચરણાનુયોગ :- દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી જીવના આચાર-વિચાર
કે નીતિનિયમ નક્કી કરીને તેને અનુસરવું તે ચરણાનુયોગ. ૩. ગણિતાનુયોગ :- દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા
લોકને વિશે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના
પ્રમાણ જે વાત તે ગણિતાનુ યોગ. ૪. ધર્મકથાનુયોગ :- પુરુષોના ધર્મચરિત્રની કથાઓ.
દ્રવ્યાનુયોગ :
વિશ્વ પરમેશ્વરનું સર્જન હોવાની માન્યતાનો જૈનધર્મ સ્વીકાર કર્યો નથી. સમગ્ર વિશ્વ મુખ્યત્વે બે પ્રકારનાં દ્રવ્ય : જીવ અને અજીવમાંથી સર્જાયું હોવાનું જૈનદર્શન જણાવે છે. આ બંને દ્રવ્ય નિત્ય અસ્પષ્ટ, સહ અસ્તિત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન સ્વરૂપો આ દ્રવ્યોના સંઘટન-વિઘટનને કારણે જોવા મળે છે.જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સમુચિત પરિચય આ દ્રવ્યાનુયોગ દ્વારા જ મળે છે. દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ :
જગતની રચનાની વાસ્તવિકતા દર્શાવવા માટે સત્તા, સતુ, તત્ત્વ, અર્થ, પદાર્થ વગેરે શબ્દોનો પણ દ્રવ્ય શબ્દના પર્યાયરૂપે કે સમાન્તરે ઉપયોગ થયો છે. ઉમાસ્વાતિ સત દ્વારા દ્રવ્યની વ્યાખ્યા કરે છે –
सत् द्रव्य लक्षणम् । સતુ દ્રવ્યનું લક્ષણ છે.
શ્રી કુંદકુંદાચાર્યે “પંચાસ્તિકાય' માં “સત” માં રહેલા જે સદભાવપર્યાયો છે - તેને જે દ્રવે છે તે દ્રવ્ય' એવી પરિભાષા આપી છે. સભાવનાપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે, તે ‘દ્રવ્ય” છે. અથવા તો - જે “સતુ' લક્ષણવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે અથવા જે ગુણપર્યાયોના આશ્રયરૂપ છે, તેને સંજ્ઞા ‘દ્રવ્ય' કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org