SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ શ્રી હીરવિજયસૂરિ-સ્વરોહણ - દિન ઉપાધ્યાયજીએ કહ્યું: “અત્યારે તો તેઓ સાંગાનેર પધાર્યા છે હવે તરત જ આ બાજુ પધારશે. અકબરે ઉપાધ્યાયજી વગેરેનાં નામ લખાવી લીધાં. તેમની ગૃહાવસ્થાનાં નામ, માતાપિતાનાં નામ, ગામનાં નામ વગેરે લખાવી લીધાં. આ મુલાકાતથી ઉપાધ્યાયજીએ અકબરના બાહ્ય-આંતરિક વ્યક્તિત્વને જાણી લીધું. તેમને વિશ્વાસ બેસી ગયો કે અકબર નમ્ર છે, વિવેકી છે, સભ્ય છે અને વિદ્વાનોને માટે આદરભાવવાળો છે. આચાર્ય ભગવંત સાંગાનેરથી ઉગ્ર વિહાર કરીને અભિરામાબાદ પધારી ગયા. ફત્તેહપુર સિક્રીથી ઉપાધ્યાયજી વગેરે અભિરામાબાદ પહોંચ્યા. તેમણે અબુલફજલ તથા અકબરની સાથે થયેલી મુલાકાતનો વૃત્તાંત આચાર્યદિવને સંભળાવ્યો. આચાર્યદિવને સંતોષ થયો. આ બાજુ ત્તેહપુર સિક્રીમાં શ્રી થાનસિંગ વગેરે શ્રાવકોએ આચાર્ય ભગવંતના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી દીધી. આચાર્યદવ ફત્તેહપુર સિક્રીમાં વિ.સં. ૧૩૯, જેઠ વદ તેરસ (ગુજરાતી વૈશાખવદ તેરસ) ના દિવસે પૂ. આચાર્યદિવશ્રીએ ૬૭ સાધુઓની સાથે ફત્તેહપુર સિક્રીમાં પ્રવેશ કર્યો. શ્રી જૈનસંઘે ગુરુદેવનું શાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રીની પણ પ્રથમ મુલાકાત અબુલફજલ સાથે થઈ. તેના ઘેર જ આચાર્યશ્રીએ આયંબિલ કર્યું. આયંબિલની ભિક્ષા કરણરાજ નામના હિન્દુના ઘેરથી પ્રાપ્ત થઈ ગઈ હતી. અબુલફજલે આચાર્યદેવને કેટલાક પ્રશ્નો પૂછ્યા. આચાર્યદિવે પ્રત્યુત્તર આપ્યા. અબુલફજલે કેટલાક પ્રશ્નો પૂછયા તેના પણ ઉત્તરો આચાદિવે આપ્યા. અબુલજ્જલ ખૂબ જ પ્રભાવિત થયો. રાજમહેલમાંથી નિમંત્રણ આવતાં અબુલફજલ વગેરે અકબરને મળવા રાજમહેલે પધાર્યા. થાનસિંગ વગેરે શ્રાવકો પણ સાથે ચાલ્યા. જ્યારે આચાર્યદિવ મહેલમાં પધાર્યા ત્યારે અકબર સામે ગયા. મંત્રણાગૃહના બહારના ભાગમાં જ અકબરે આચાર્યદિવ સાથે વાતો શરૂ કરી દીધી. ઊભા ઊભા જ વાતો થતી રહી. અકબર એટલો તો ભાવવિભોર બની ગયો હતો કે તેને ખ્યાલ સરખો ન રહ્યો કે આચાર્યદિવને આસન આપવું જોઈએ ! કેટલાક કલાકો વીતી ગયા - પછી મંત્રણાગૃહમાં જવાનું થયું તો ત્યાં ગાલીચો પાથરેલો હતો. આચાર્યદવ પોતાના નિયમ અનુસાર ત્યાં રોકાઈ ગયા. “અમે ગાલીચા ઉપર ચાલી ન શકીએ.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy