SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પર્વ-પ્રવચનમાળા મલ્લિકુમારીની વાત યથાર્થ લાગી. મલ્લિકુમારીએ રાજાઓને પૂછ્યું “હે નરેશ્વરો, હું સંયમધર્મ ગ્રહણ કરીશ, આપ. સૌની શું ઇચ્છા છે?" તેમણે કહ્યું : "અમે પણ આપની સાથે સંયમધર્મ ગ્રહણ કરીશું.” રાજાઓની વૈષયિક વાસના ક્ષીણ થઈ ગઈ હતી. તેમણે મહારાજા કુંભની ક્ષમાયાચના કરી અને પોતપોતાની સેના સાથે પોતાને દેશ ગયા. ચારિત્રઃ કેવળજ્ઞાનઃ નિવણિઃ આ રીતે મલ્લિકુમારીએ છ રાજાઓને પ્રતિબોધ આપ્યો. તીર્થપ્રવર્તનનો સમય થઈ ગયો હતો. લોકાન્તિક દેવોએ આવીને વિનંતી કરી મયર્વ તિર્થં પદિ "હે ભગવંત, તીર્થની પ્રવર્તના કરો.” મલ્લિકુમારીએ સંવત્સરી દાન આપવાની શરૂઆત કરી. એક વર્ષ સુધી દાન આપ્યું. માગશર શુક્લા એકાદશીના દિવસે તેમણે ચારિત્ર સ્વીકાર્યું. તેમની સાથે ત્રણસો પુરષોએ અને ત્રણસો સ્ત્રીઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. જે દિવસે ચારિત્ર લીધું. એ દિવસે અંતિમ પ્રહરમાં તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ. એ છ રાજાઓ આવ્યા. મલ્લિનાથ ભગવાન પાસેથી તેમણે પણ ચારિત્ર સ્વીકાર્યું. માગશર શુક્લા એકાદશીના દિવસે જન્મ થયો. માગશર શુક્લા એકાદશીના દિવસે દીક્ષા લીધી, અને એ જ દિવસે કેવળજ્ઞાન થયું. મલ્લિનાથ ભગવાનનું આયુષ્ય પંચાવન હજાર વર્ષનું હતું. ચૈત્રી શુક્લા ચોથના દિવસે સમેતશિખર પહાડ ઉપર મધ્યરાત્રિના સમયે તેમનું નિવણ થયું. એમની સાથે પાંચસો શ્રમણોએ તથા પાંચસો શ્રમણીઓએ પણ અનશન ગ્રહણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ રીતે "મૌન એકાદશી” મહાપર્વનું વૈશિસ્ય સમજીને તીર્થકર ભગવંતોના કલ્યાણકોની આરાધનામાં મૌનપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જે કોઈ મનુષ્ય આ મહાપર્વની આરાધના કરશે એ પરમ કલ્યાણ પામશે અને પૂર્ણાનંદ પ્રાપ્ત કરશે! Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy