SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પૂર્વ-પ્રવચનમાળા ઉપવાસ. પછી છ ઉપવાસ, પારણાં અને પાંચ ઉપવાસ. તેના પછી સાત ઉપવાસ, પારણાં અને છ ઉપવાસ. તે પછી આઠ ઉપવાસ, પારણાં અને સાત ઉપવાસ. અંતમાં નવ ઉપવાસ, પારણાં અને આઠ ઉપવાસ. હવે ઊતરતા ક્રમમાં ઉપવાસ શરૂ કરવાના, પાછળથી શરૂ કરવાના. આ રીતે છ માસ અને સાત દિવસની પહેલી પરિપાટી પૂર્ણ થાય છે. આ પ્રથમ પરિપાટીમાં દરેક પારણાંમાં વિગય (ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, સાકર)નો ઉપયોગ કરવામાં આવે છે. બીજી પરિપાટીમાં વિગયનો ઉપયોગ - પારણાંમાં ક૨વામાં આવતો નથી. ત્રીજી પરિપાટીમાં પારણાં અલેપકૃત્ વસ્તુથી કરવામાં આવે છે. ચોથી પરિપાટીમાં પારણાં આયંબિલથી કરવામાં આવે છે. આ રીતે ચારે પરિપાટીના મળીને ૨ વર્ષ અને ૨૮ દિવસ થાય છે. "મહા સિંહ નિષ્ક્રીડિત તપ” માં આ પ્રકારની ચાર પરિપાટી હોય છે. પરંતુ એક પરિપાટી ૧ વર્ષ, છ માસ અને ૧૮ દિવસની હોય છે. ચારે પરિપાટીનો સમય છ વર્ષ, ૨ માસ અને ૧૨ દિવસનો હોય છે. દરેક પિરપાટીમાં ૧૬ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે અને પછી ઊતરવાનું હોય છે. સાતે મુનિવરો અનુત્તર દેવલોકમાં : ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યાથી સાતે મુનિવરોનાં શરીર અસ્થિપિંજર જેવાં થઈ ગયાં. ભીતરના કષાયો પણ નષ્ટ થઈ ગયા. ૮૪ લાખ પૂર્વ-વર્ષોનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. સાતેય મુનિવરો અનુત્તર દેવલોકમાં "જયન્ત” દેવ વિમાનમાં દેવ થયા. બધા દેવોમાં અનુત્તર દેવલોક શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વૈભવ પણ શ્રેષ્ઠ અને વૈરાગ્ય પણ શ્રેષ્ઠ ! ત્યાં વૈષયિક સુખોની ઇચ્છા પણ નથી થતી. સુખભોગ તો દૂર રહ્યા. ત્યાં દેવોની સ્થિતિ નિર્વિકાર જેવી હોય છે. ૩૨ સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય છે જયન્ત વિમાનમાં - અસંખ્ય વર્ષ ! સભામાંથી : “સાગરોપમ”નો અર્થ શું થાય છે ? મહારાજશ્રી : કાલગણનાનો જૈનાગમોનો એક પારિભાષિક શબ્દ છે. "પલ્યોગમ" અને "સાગરોપમ.” આ બે શબ્દો સમજી લેવા જોઈએ. જૈન આગમગ્રંથોમાં જ્યાં દેવલોક યા નરકલોકનું વર્ણન આવે છે ત્યાં આ શબ્દો આવે છે. આજે તો સમજાવવાનો સમય નથી પણ કોઈક વાર સમય મળતાં સમજાવીશ. અનુત્તર દેવલોકના દેવ પોતાનો જીવનકાળ તત્ત્વચિંતનમાં, તત્ત્તરમણતામાં વ્યતીત કરે છે. તેમાં જ સુખ અને તેમાં જ આનંદ. સાતે મુનિઓના આત્માઓ દેવપર્યાયમાં આ રીતે જીવન વ્યતીત કરે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy