SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ શ્રી મૌન એકાદશી પ્રવચન-(૨) પ. સ્થવિર પદની, ૬. બહુશ્રુત પદ તેમજ ૭. તપસ્વીની સેવા આદર કરવા સાથે એ પદની તપશ્ચર્યા સહિત આરાધના કરી. ૮. પુનઃ પુનઃ જ્ઞાનોપાસના કરતાં તપશ્ચર્યા કરી. ૯. સમ્યગુ દર્શનમાં કોઈ દોષ ન લગાડ્યો. ૧૦. વિનય ધર્મનું યથાર્થ પાલન કર્યું. ૧૧. આવશ્યક ધર્મક્રિયાઓનું નિરતિચાર પાલન કર્યું. ૧૨. મૂલોત્તર ગુણોનું દોષરહિત પાલન કર્યું. ૧૩. હમેશાં અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન-મનન કર્યું. ૧૪. તપ-પદની આરાધના કરી. ૧૫. ત્યાગ (દાન)-પદની આરાધના કરી. ૧૬. વૈયાવચ્ચ (સેવા) કરતા રહ્યા. ૧૭. ગુરુસેવા વગેરેથી ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરતા રહ્યા. ૧૮. શ્રુતભક્તિ કરતા રહ્યા, ૧૯. પ્રવચન - પ્રભાવના કરતા રહ્યા અને ૨૦. અભિનવ જ્ઞાન-પ્રાપ્તિ કરતા રહ્યા. આ પ્રકારની દ્રવ્ય-ભાવાત્મક આરાધનાની સાથે એ મહાપુરુષમાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે શ્રેષ્ઠ કરુણાભાવના હતી. ભાવના અને આરાધનાના સુગમ સંયોગથી તીર્થકર નામકર્મનો જન્મ થાય છે. મહાબલ મુનિના આત્મામાં તીર્થકર થવાનું બીજ નંખાઈ ગયું. લઘુ સિંહનિષ્ક્રીડિત તપઃ મહાબલ મુનિવરે પોતાના છ મુનિવરોની સાથે એક વિશિષ્ટ તપશ્ચર્યા કરી. એ તપનું નામ છે - "લઘુ સિંહનિષ્ક્રીડિત તપ.” જે રીતે સિંહ આગળ જાય છે, અને પાછું વળીને જુએ છે, એ રીતે આ તપ કરવામાં આવે છે. સિંહાવલોકનની જેમ આ તપ કરવામાં આવે છે. જેવી રીતે એક ઉપવાસ કર્યો. પારણાં કરીને બે ઉપવાસ કર્યો. પારણાં કરીને ફરીથી એક ઉપવાસ કરવાનો. પછી ત્રણ ઉપવાસ. પારણાં કરીને ફરીથી બે ઉપવાસ કરવાના, પછી ચાર ઉપવાસ, પારણાં અને ત્રણ ઉપવાસ. પછી પાંચ ઉપવાસ, પારણાં અને ચાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy