SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી મૌન એકાદશી પ્રવચન (૨) जह मल्लिस्स महाबलभवंमि तित्थयरनामबंधे वि । तव विसय थेव माया जाया जुवइत्त-हेउत्ति ॥ . આજે શ્રી મલ્લિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણક છે. તમે જાણો છો કે ૨૪. તીર્થકર ભગવંતોમાં આ એક જ સ્ત્રી તીર્થંકર છે. સભામાંથી તો પછી મલ્લિનાથ કેમ કહેવાય છે? મહારાજશ્રી કારણ કે બાકીના ૨૩ તીર્થકરો “નાથ” અથવા “સ્વામી' કહેવાય છે. વર્તમાનમાં આપણા એક જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વી (મહાસતી)ના નામ સાથે સ્વામી શબ્દ લગાડીએ છીએ ને? સભામાંથી લગાડીએ છીએ ! મહારાજશ્રી ઃ જે રીતે તેઓ જ્યારે ગૃહસ્થપયયિમાં હતાં ત્યારે તેઓ મલ્લિકુમારી કહેવાતાં હતાં. પૂર્વજન્મમાં જ્યાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું ત્યાં સાથે જ "સ્ત્રીવેદ” નામનું મોહનીય કર્મ પણ બાંધી લીધું હતું. પૂર્વજન્મની વાતઃ વાત છે જેબૂદ્વીપના પશ્ચિમ - મહાવિદેહ ક્ષેત્રની. સલિલાવતી નગરીમાં બલ' નામનો રાજા હતો. તેને એક હજાર રાણીઓ હતી. પટરાણી હતી ધારિણી. ધારિણીનો પુત્ર હતો મહાબલકુમાર. મહાબલકુમાર જ્યારે યૌવનાવસ્થામાં આવ્યો તો બલ રાજાએ એને રાજા બનાવ્યો. મહાબલનો પુત્ર હતો બલભદ્ર. જ્યારે બલભદ્ર યૌવનાવસ્થામાં આવ્યો તો તેનો રાજ્યાભિષેક કરીને મહાબલે પોતાના છ મિત્રરાજાઓ સાથે ચારિત્રધર્મ અંગીકાર કર્યો. સાતે મુનિવર મિત્રોએ મળીને નિર્ણય કર્યો: "આપણે બધા એક જ પ્રકારની તપશ્ચર્યા કરીશું. એટલે કે એક મુનિ જે તપશ્ચર્યા કરશે તે તપ બધા - સાતેય મિત્રો કરશે." સાતેય મુનિઓ હતા ને? ઘનિષ્ઠ મિત્રતા હતી. આંતરિક સ્નેહભાવ હતો. મિત્રો સાથે માયાઃ મહાબલ મુનિ વિચાર કરે છે - ગૃહસ્થ જીવનમાં હું મારા મિત્રોથી મોટો હતો. અહીં પણ મોટો છું. મોટો હોવાને કારણે મારે કંઈક વિશેષ તપ કરવું જોઈએ. એવું વિચારીને જ્યારે મિત્ર મુનિવરો એક ઉપવાસ કરતા ત્યારે મહાબલ મુનિવર બે ઉપવાસ કરતા. જ્યારે મિત્ર મુનિવરો બે ઉપવાસ કરતા ત્યારે મહાબલ મુનિ ત્રણ ઉપવાસ કરતા. કહે છે કંઈ અને કરે છે કંઈ ! આ તો માયા છે ! માયાથી સ્ત્રીવેદ મોહનીય કર્મ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy