SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પર્વ-પ્રવચનમાળા મૌન તેનો અભ્યાસ-સમગ્ર જીવનને પ્રભાવિત કરનારો હોવો જોઈએ. જીવન મૌનથી પ્રભાવિત હશે તો તમારામાં સહજતાથી ગંભીરતા આવી જશે. તમે ચિંતનશીલ બનશો અને તમારું વચન પ્રભાવશાળી બનશે. મહાત્મા સુવ્રતનું જીવનચરિત્રઃ મૌન એકાદશીની આરાધનાનું લક્ષ્ય આ જ હોવું જોઈએ. આ લક્ષ્યથી આરાધના કરશો તો સુવ્રત શેઠની જેમ બાહ્ય અને આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરીને આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લેશો. પહેલાં તમને સુવ્રત શ્રેષ્ઠીના પૂર્વજન્મની વાત કહું. પૂર્વજન્મ : આપણે એક વિશાળ દ્વીપ ઉપર છીએ, એ દ્વીપનું નામ છે, જંબૂદ્વીપ. એક લાખ યોજનનો આ દ્વીપ છે. જંબૂદ્વીપની ચારે કોર લવણસમુદ્ર ફેલાયેલો છે. એ બે લાખ યોજનનો છે. લવણસમુદ્રની ચારે બાજુ ધાતકીખંડ આવેલો છે. એ ચાર લાખ યોજનનો છે. જેવી રીતે જંબૂદ્વીપમાં ભરતક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્ર છે, મહાવિદેહક્ષેત્ર છે એ રીતે ધાતકીખંડમાં પણ એવાં ક્ષેત્રો છે. ધાતકીખંડમાં જે મહાવિદેહક્ષેત્રનો પશ્ચિમ વિભાગ છે, ત્યાં વિજયનગર નામનું નગર છે. ત્યાં શુર નામનો શ્રેષ્ઠી હતો. એ જેવો ધનવાન હતો તેવો જ યશસ્વી પણ હતો. એકવાર શૂરશ્રેષ્ઠી પાસેના નગરમાં ગયો હતો. ત્યાં જિનમંદિરમાં પૂજા કરવા ગયો. પૂજા કર્યા પછી બાર ભાવનાઓનું ચિંતન કરે છે. આત્મભાવ નિર્મળ થાય છે. જિનમંદિરની પાસે જ તેણે મુનિવરોનાં દર્શન કર્યા. તે રોમાંચિત થઈ ગયો. મુનિવરોની પાસે જઈને, વિધિપૂર્વક વંદન કરીને તેમને વિનમ્ર શબ્દોમાં કહ્યું : ગુરુદેવ, આજ મને એક એવી ધર્મઆરાધના કરવાની પ્રતિજ્ઞા આપો કે અનંતઅનંત કર્મોની નિર્જરા થાય ! મારો આત્મભાવ વિશુદ્ધ-વિશુદ્ધતર થતો જાય.” મુનિરાજે કહ્યું: “હે મહાનુભાવ, સમ્યગૃજ્ઞાન પામવાનો પ્રયત્ન કરતો રહે અને અગિયાર વર્ષ તથા અગિયાર માસ સુધી હર મહિને શુક્લા એકાદશીની આરાધના કર. મૌન રહેવું, ઉપવાસ કરવો. જિનેશ્વર ભગવંતોના કલ્યાણકોની આરાધના કરવી. બીજે દિવસે જિનમંદિરમાં જઈને નૈવેદ્યપૂજા કરવી, જ્ઞાનની પૂજા કરવી. અને સાધુપુરુષોને ભિક્ષા આપ્યા પછી પારણાં કરવાં.” ઘેર શ્રેષ્ઠીએ મૌન એકાદશીની આરાધના કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. અગિયાર વર્ષ, અગિયાર મહિના સુધી તેણે આરાધના પૂર્ણ કરી. આરાધના પૂર્ણ થતાં પરમાત્મભક્તિનો ભવ્ય મહોત્સવ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં શુર શ્રેષ્ઠીનું સમાધિ મૃત્યુ થયું. અગિયારમા દેવલોકમાં તે દેવ થયો. એ આત્માની સાથે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy