SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭પ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન ઋષભદેવનાં ચરણોમાં સ્થિર કર્યા હતાં. સુવલ્લુ મહર્ષિનો ઉપદેશઃ દ્રાવિડ વગેરેએ ઋષિના ચરણોમાં વંદન કર્યા. ઋષિએ આશીર્વાદ આપ્યા. દ્રાવિડે કુશળતા પૂછી. ઋષિએ કરુણાસભર વાણીમાં કહ્યું: “રાજનું, ધર્મવૃક્ષનું બીજ છે દયા. ક્રોધથી દયાબીજ નષ્ટ થઈ જાય છે. જે માણસ રોષથી હિંસા કરે છે, તે મરીને નરકે જાય છે. રાજનું, તું રાજ્યના લોભથી તારા ભાઈ સાથે યુદ્ધ કરે છે, કે જે રાજ્ય નરકનું જ કારણ છે. આ યુદ્ધમાં કરોડો જીવોની હિંસા થઈ છે.... કેટલો ઘોર જીવસંહાર થયો છે? રાજનું, પોતાના ભાઈ સાથે વેર બાંધવું એ પોતાની જ આંખ ફોડવા જેવું છે. પરંતુ મહાલોભરૂપ પિશાચને આધીન મનુષ્ય કયો અનર્થ નથી કરતો ? દ્રાવિડ! તારો લઘુબંધુ, તારો જ બીજો બાહુ છે. એની સાથે તેં શા માટે યુદ્ધ કર્યું છે? શાન્ત ચિત્તે વિચાર કર. એનો નાશ કરીને તું તારો જ નાશ કરીશ. એટલા માટે કહું છું કે યુદ્ધ બંધ કરીને ક્રોધને શાન્ત કર. મહાનુભાવ, તું યુગાદિદેવ ભગવાન ઋષભદેવની આરાધના કરનારો છે. તેમણે બતાવેલા સદૂધર્મને માનનારો છે. તેમનો જ પૌત્ર છે. અને તું શા માટે હિંસાના ઉન્માર્ગ ઉપર ચાલે છે? ભગવાને તો હિંસાનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે.” દ્રાવિડે કહ્યું : “હે મહાત્મનું કારણવશ મહારાજ ભારત અને બાહુબલી પણ પરસ્પર યુદ્ધના હેતુથી મેદાનમાં આવ્યા હતા ને? મારો ભાઈ વારિખીલ્ય, પ્રચંડ ક્રોધથી કલુષિત છે. જો તે યુદ્ધથી નિવૃત્ત થતો હોય તો હું પણ.. સુવલ્લુ ઋષિએ વચમાં જ દ્રાવિડને બોલતો બંધ કરી દીધો અને કહ્યું.” દ્રાવિડ, આ પ્રસંગમાં તું શા માટે એ બે મહાપુરુષોને વચ્ચે લાવીને તેમને દૂષિત કરે છે ? એ બંને જેવા મહાપરાક્રમી હતા એવા જ મહાગુણનિધિ હતા, ઉદારતા હતા. અલ્પ સમયમાં કેવળજ્ઞાની બનીને મોક્ષે ગયા. તમે બંને ભાઈઓ એવું કરવા સમર્થ છો?ભરતજીને દર્પણ-મહેલમાં કેવળજ્ઞાન થઈ ગયું અને બાહુબલીને યુદ્ધના મેદાનમાં કેવળજ્ઞાન થયું. કેવા ઉત્તમ આત્માઓ હતા તેઓ? બીજી વાત તારા પિતાજી વગેરે ૯૮ ભાઈઓએ રાજ્યની સ્પૃહાનો ત્યાગ કર્યો હતો, અને માત્ર યુગાદિદેવના ઉપદેશથી જ કર્યો હતો ને? ભરતજીની સાથે યુદ્ધ કરવા માટે તત્પર બનેલા એ ૯૮ ભાઈઓ કેવા ઉપશાન્ત બની ગયા હતા? મહાનુભાવ, જયાં સુધી ભીતરના કામ ક્રોધ, લોભ આદિ શત્રુઓ હશે ત્યાં સુધી બહારના શત્રુઓ પણ રહેશે જ. બાહ્ય શત્રુઓથી કયાં સુધી લડતો રહીશ? આ મનુષ્યજીવન લડવા માટે નથી. ભીતરના શત્રુ-કામ, ક્રોધ આદિ શત્રુઓની સાથે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy