SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પર્વ-પ્રવચનમાળા આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય, આત્માની સ્વભાવદશા પ્રાપ્ત કરવાની તમન્ના પ્રકટ થઈ હોય, તો શત્રુંજયનું ક્ષેત્ર તમારી તમન્નાને પૂર્ણ કરવામાં સહાયક બની શકે છે. એટલા માટે કહું છું? – સર્વ પ્રથમ આત્માને જાણો, – આત્માનાં બંધનોને જાણો, – આત્માની શુદ્ધ અવસ્થાને જાણો. – બંધન તોડવાનો અને શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. જે જે મહાત્માઓએ - મહાનુભાવોએ આવો પુરુષાર્થ શત્રુંજય ઉપર કર્યો છે એમને સિદ્ધિ મળી છે, મુક્તિ મળી છે. શત્રુંજય સિદ્ધક્ષેત્ર છે ને? આ ક્ષેત્ર મુક્તિ અપાવે છે. જોઈએ મુક્તિ પામવાની તીવ્ર તમન્ના ! કમોંથી આત્માને પૂર્ણતયા મુક્તિ અપાવવાની તમન્ના ! આ તમન્ના સિવાય અન્ય કોઈ તમન્ના ન જોઈએ. સર્વ ઇચ્છાઓથી મન મુક્ત જોઈએ. પહેલાં ઈચ્છાઓથી મુક્ત બનો, પછી કર્મોથી મુક્ત બની શકશો. ઈચ્છાઓથી મુક્ત બનવું શકય લાગે છે? પૂછો તમારા અંતરાત્માને. અને કર્મથી મુક્ત આત્માને વિશુદ્ધ અવસ્થાનું આકર્ષણ જાગ્યું છે ભીતરમાં? પૂછો તમારા અંતરાત્માને. માત્ર બાહ્ય યાત્રાથી સંતોષ નથી માનવાનો, અંતર્યાત્રા પણ કરવાની છે. પોતાના અંતરને પણ ઢંઢોળવાનું છે. દ્રાવિડ-વારિખીલ્યઃ આ અંતયત્રિામાં સહાયક બનશે દ્રાવિડ અને વારિખીલ્યનું વૃત્તાંત. એ બે મહાપુરુષોએ આજના દિવસે દશ કરોડ મુનિવરોની સાથે મુક્તિ પ્રાપ્ત કરી હતી ! તમે જાણો જ છો કે ભગવાન ઋષભદેવને સો પુત્રો હતા. એમાં દ્રવિડ નામનો એક પુત્ર હતો. દ્રવિડના નામથી "દ્રવિડ દેશ” પ્રસિદ્ધ થયો છે. દ્રવિડ રાજાને બે પુત્રો હતા. એક હતો દ્રાવિડ અને બીજો હતો. વારિખીલ્ય. બંને પુત્રોને દ્રવિડ રાજાએ વિશિષ્ટ અધ્યાપકો દ્વારા શસ્ત્રકલા, શાસ્ત્રકલા વગેરે બોત્તેર કલાઓ શીખવી હતી. જયારે તેઓ યૌવનમાં આવ્યા ત્યારે સુયોગ્ય રાજકુમારીઓ સાથે લગ્ન કરાવ્યાં. દ્રવિડ રાજા અંદરથી તો વિરક્ત જ હતા. ભગવાન ઋષભદેવ દ્વારા બતાવેલા મોક્ષમાર્ગ ઉપર ચાલવાની ઇચ્છા તેમની અંદર તો પહેલી જ હતી. તેમણે દ્રાવિડને મિથિલાનું વિશાળ રાજય આપ્યું અને વારિખીલ્યને બીજાં એક લાખ ગામ આપ્યાં. દ્રવિડ રાજાએ પોતાના ભાઈઓની સાથે ઋષભદેવના ચરણોમાં ચારિત્રધર્મ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy