SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્તિક-પૂર્ણિમા પ્રવચન नमि - विनमि-रायाणो सिद्धा कोडिहिं दोहिं साहूणं । तह दाविड - वारिखिल्ला निव्वुआ दस य कोडिओ || - ૧૭૧ આજ કાર્તિક-પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. દશ કરોડ મુનિવરોના નિર્વાણનો આ દિવસ છે. એટલા માટે પવિત્ર અને સ્મરણીય છે ! અસંખ્ય વર્ષો પૂર્વે આજના દિવસે શત્રુંજય ગિરિ પર દશ કરોડ મુનિવરોનું નિર્વાણ થયું હતું. शत्रुंजय-कल्प આમેય શત્રુંજય ગિરિ અનંત આત્માઓની નિર્વાણભૂમિ જ છે, અનંત આત્માઓએ આ ગિરિરાજ ઉપર પોતાની અંદરના કામ, ક્રોધાદિ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને તેઓ સિદ્ધ, બુદ્ધ-મુક્ત બન્યા છે. ગિરિરાજના ક્ષેત્રે એ આત્માઓને પરોક્ષ રૂપે સહાયતા કરી છે મુક્તિની સાધનામાં. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રભાવ ઃ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારા ખોટા પ્રભાવ આત્મા ઉપર પડે જ છે. જીવાત્માઓની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવનો સંબંધ જોડાયેલો હોય છે. ઉત્તમ દ્રવ્યોના અસ્તિત્વ માત્રથી મનુષ્યને સુખનાં સાધનો ઉપલબ્ધ થાય છે. ઉત્તમ ક્ષેત્રમાં નિવાસ કરવા માત્રથી મનુષ્યની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. ઉત્તમ સમય (કાળ) આવતાં માણસ સહજતાથી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લે છે, અને ઉત્તમ ભાવ જાગૃત થતાં માણસ ઉચ્ચતમ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી લે છે. આજના દિવસે આપણને આ ચારેય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શ્રેષ્ઠ મળ્યા છે. ભગવાન ઋષભદેવની દિવ્ય મૂર્તિ શ્રેષ્ઠ દ્રવ્ય છે. શ્રી શત્રુંજય ગિરિરાજ શ્રેષ્ઠ ક્ષેત્ર છે. કાર્તિક પૂર્ણિમાનો દિવસ શ્રેષ્ઠ કાળ છે; અને મુક્તિ પામવાની ભાવના શ્રેષ્ઠ ભાવના છે ! Jain Education International 2010_03 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં પ્રધાનતા છે ભાવની, અને સર્વ પ્રકારના ભાવોમાં શ્રેષ્ઠ ભાવ છે મુક્તિ પામવાનો, મોક્ષ પામવાનો ભાવ ! For Private & Personal Use Only “મારે મારા આત્માને કર્મમાં બંધનોથી મુક્ત કરવો છે.” આ ભાવ શ્રેષ્ઠ ભાવ છે. અતિ દુર્લભ છે આ ભાવ ! આ ભાવ સસ્તો નથી. આ શ્રેષ્ઠ ભાવ જાગૃત કરવામાં ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, અને કાળ નિમિત્તભૂત થાય છે. જાગેલા આ ભાવને ટકાવી રાખવા માટે પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ઉત્તમ આલંબનો બને છે. શત્રુંજય-ગિરિરાજ : શત્રુંજય ગિરિરાજનો અદ્ભુત પ્રભાવ મુક્તિની દૃષ્ટિએ જ છે. જો તમને www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy