SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન ૧૬૯ મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષયોપશમ થવો જ જોઈએ. મિથ્યાત્વના ક્ષયોપશમની સાથે કષાયમંદતા થાય જ છે. એ જ કષાયમંદતા ગુણરૂપ છે ! મિથ્યાત્વના ઉદયની સાથે જે કષાયમંદતા થાય છે.એ સૂતેલા સાપ જેવી છે ! જ્ઞાનપંચમીની આરાધનાથી જ્ઞાનાવરણ કર્મની સાથે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે, એટલા માટે સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દિન-પ્રતિદિન થોડો સમય જ્ઞાન-પ્રાપ્તિ માટે નિશ્ચિત કરી લેવો જોઈએ. ઓછામાં ઓછું આટલું જ્ઞાન તો પ્રાપ્ત કરી જ લેવું જોઈએ. --- આવશ્યક ક્રિયાઓનાં સૂત્ર અને અર્થ. જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત. પહેલો કર્મગ્રંથ, અર્થ સહિત. ત્રણ ભાષ્યો (ચૈત્યવંદન, ગુરુવંદન, પચ્ચક્ખાણ) અર્થ સહિત. જ્ઞાનસાર (અર્થ ચિંતન) શાન્તસુધારસ (અર્થ ચિંતન) આ રીતે જ્ઞાનારાધના કરીને આત્મભાવને નિર્મળ કરતા રહો એ જ મંગલ કામના. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy