SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પાછળથી એકબીજાને પોતાનું ભોજન આપીને મે છે. એક “હિલ સ્ટેશન” પર એવી સ્કૂલોમાં અંદાજે ૭૦૦ જૈન બાળકો ભણે છે. બીજા એક ‘હિલ સ્ટેશન’ પર પણ આવી જ સ્કૂલોમાં બાળકોને ભણતાં મેં જોયાં છે. નાનાં નાનાં બાળકોને માતા-પિતા આવી સ્કૂલોમાં દાખલ કરી દે છે. કેટલાકને તો નવકાર મંત્ર પણ નથી આવડતો ! નથી તો ભગવાન મહાવી૨ને જાણતા ! એક નાની બાળકીને મેં પૂછ્યું : "હુ ઇઝ યોર ગોડ ?”. તો તે છોકરીનો જવાબ હતો : " "માય ગોડ ઇઝ જીસસ ક્રાઈસ્ટ” એ જૈન પરિવારની છોકરી હતી. એવાં તો આપણાં લાખો બાળકો એવી સ્કૂલોમાં ભણે છે. તેમના સંસ્કારોનું શું થશે ? શું થશે તેમના ધર્મનું ? : પૂર્વ-પ્રવચનમાળા એવી આપણા જૈનસમાજની શૈક્ષણિક સંસ્થાઓ હોવી જોઈએ કે જયાં જૈનધર્મના સિદ્ધાંતો પર આધારિત રહનસહન હોય, ખાવાપીવાનું હોય, અને વાતાવરણ હોય. સ્કૂલમાં પ્રિન્સિપાલથી માંડીને પટાવાળા સુધી બધા જ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હોય. સ્કૂલના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ હોય. The Best હોય ! જૈનધર્મના સિદ્ધાંતોનું સારી રીતે અધ્યયન કરાવાતું હોય ! આ દિશામાં જો નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો સંઘ અને સમાજના સંસ્કાર નષ્ટ પ્રાયઃ થઈ જશે. વિશુદ્ધ જીવનવ્યવહાર અશુદ્ધ બની જશે. શરાબ અને માંસાહાર ઘ૨-ઘરમાં વ્યાપક બની જશે. અને જો સમાજમાં ખાવાપીવાનું બગડી ગયું, રહેણીકરણી મર્યાદાહીન થઈ ગઈ, જીવન વ્યસનભરપૂર થઈ ગયું, વેશભૂષા વિકૃત થઈ ગઈ, પરસ્પરના સંબંધ માત્ર વાસનામૂલક થઈ ગયા.,...તો શું જૈનધર્મનો પાયો રહેશે ? જિનોક્ત ધર્મના પાલનની યોગ્યતા રહેશે? આવા સમાજના આધાર ૫૨ સાધુ-સાધ્વી પોતાની સંયમ-આરાધના કરી શકશે ? વિચાર કરો આ દિશામાં. પ્રાસંગિક વાત કરી દીધી છે. સમાજને સાવધાન કરવાનું અમારું કર્તવ્ય છે. જ્ઞાનોપાસનાથી કર્મક્ષયઃ જ્ઞાનપંચમીની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. પરંતુ જ્ઞાનોપાસના કરતા રહીએ તો ! જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. એક વાત વિશેષ રૂપે બતાવી દઉં. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અવશ્ય, પરંતુ મોહનીય કર્મના ક્ષયોપશમ વગર એ જ્ઞાન સમ્યગ્ નથી બનતું. મોહનીય કર્મના ક્ષયોપશમથી જ જ્ઞાન સમ્યગ્ બને છે. એટલા માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવાનું પણ લક્ષ્ય હોવું જોઈએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy