SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી પ્રવચન જગાડનારા પુસ્તકો વાંચવાથી મન સ્વસ્થ, પ્રસન્ન તેમજ પવિત્ર રહે છે. જ્ઞાનભક્ત મહાપુરુષો ઃ હવે હું તમને કેટલાક એવા મહાપુરુષોનાં દૃષ્ટાંત આપું છું કે જેમણે અપૂર્વ જ્ઞાનભક્તિ કરી છે. સુંદર જ્ઞાનોપાસના કરી છે. પ્રથમ હું એક એવા મહાન શ્રાવકનું નામ જણાવું કે જેને તમે જાણતા નથી ! મહાન આચાર્યદેવ હિરભદ્રસૂરિજીનો એ પરમ ભક્ત શ્રાવક હતો, તેનું નામ "લલ્લિગ. ૧૬૫ હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરવાની હતી. આયુષ્ય પરિમિત હતું, કાર્ય ખૂબ જ મોટું હતું. હરિભદ્રસૂરિજીને લાગ્યું કે આખો દિવસ ગ્રંથ લખતા રહીએ તો પણ ૧૪૪૪ ગ્રંથોની રચના ન થઈ શકે. રાત્રિના સમયે લખવાનું કામ થઇ શકે તો કાર્ય સંપૂર્ણ થઈ શકે. તેમણે લલ્લિગ શ્રાવકને કહ્યું. "જો એવો રત્નમણિ મળી જાય કે જેના અચિત્ત પ્રકાશમાં લખી શકાય; તો મારું જીવનકાર્ય પૂર્ણ થઈ શકે.” લલ્લિગે એવો મણિ પ્રાપ્ત કર્યો અને ઉપાશ્રયમાં ગુરુદેવની પાસે રાખી મૂકયો. પછી હરિભદ્રસૂરિજીએ રાતના સમયે પણ ગ્રંથ લખવાની શરૂઆત કરી, ૧૪૪૪ ગ્રંથોની રચના કરી નાખી ! પ્રતિભાશાળી જ્ઞાની પુરુષોને જો એવો સહાયક મહાનુભાવ મળી જાય તો જ્ઞાનનું સર્જન અને પ્રસાર અતિ સુંદર થઈ શકે છે. બીજા મહાન શ્રાવક થયા રાજા કુમારપાળ. ગુજરાતના આ રાજેશ્વરે અપૂર્વ જ્ઞાનભક્તિ કરી હતી. મહાન આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના અનન્ય ભક્ત, શ્રાવક હતા. તેમણે - * ૨૧ મોટા જ્ઞાનભંડારો સ્થાપિત કર્યા હતા. * ૭૦૦ લહિયાઓ પાસે ૩૬ હજાર શ્લોક સુવર્ણની શાહીથી લખાવ્યા હતા. * હેમચંદ્રસૂરિ-રચિત ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોકો પણ લખાવ્યા હતા. * તેમણે જાતે ૭૦ વર્ષની ઉંમરે “સિદ્ધહેમ-સંસ્કૃત વ્યાકરણ”નું અધ્યયન કર્યું અને સંસ્કૃત ભાષામાં કાવ્યની રચના કરી હતી. * ચાતુર્માસ કાળ સ્વાધ્યાયમાં વ્યતીત કરતા હતા. ગુજરાતના રાણા વીરધવલના મહામંત્રી વસ્તુપાલ પણ બહુશ્રુત શ્રાવક હતા. તેમણે ૧૮ કરોડ રૂપિયા ખરચીને ત્રણ મોટા જ્ઞાનભંડારો સ્થાપિત કરાવ્યા હતા. એક ધોળકામાં, બીજો ખંભાતમાં, અને ત્રીજો પાટણમાં. માલવદેશના મહામંત્રી પેથડશાહની વાત તો તમે જાણતા જ હશો. તે જિનશાસનના મહા પ્રભાવક શ્રાવક હતા.,૩૨ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy