SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દીપાલિકા-પ્રવચન (૨) જે સાધુ - રાગ–દ્વેષરૂપનો પાપનો તિરસ્કાર કરે છે, - - ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યનો ત્યાગ કરે છે, ઉપસર્ગોને સહન કરે છે, ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા, અને બે અશુભ ધ્યાનનો ત્યાગ કરે છે, પાંચ મહાવ્રતોમાં, પાંચ સમિતિના પાલનમાં રત રહે છે, અને પાંચ વિષયોમાં મધ્યસ્થ રહે છે અને પાંચ ક્રિયાનો ત્યાગ કરે છે. ૧૪૫ અશુભ લેશ્યાનો વિરોધ કરે છે. શુભ લેશ્યામાં રહે છે. ષડૂજીવનિકાયની રક્ષા કરે છે. સાત ભયોને જીતે છે, સાત પિંડૈષણાનું પાલન કરે છે. આઠ મદોનો ત્યાગ કરે છે. બ્રહ્મચર્યની ૯ ગુપ્તિઓનું પાલન કરે છે. ક્ષમાદિ દવિધ સાધુધર્મનું પાલન કરે છે. શ્રાવકની ૧૧ પ્રતિમા, સાધુની ૧૨ પ્રતિમામાં જે પ્રયત્ન કરે છે. તે સંસારમંડળમાં રહેતો નથી. એવી બીજી વાતો પણ કહેવામાં આવી છે. ૩૨. પ્રમાદસ્થાનઃ આ અધ્યયનમાં શ્રમણોએ કેવા કેવા પ્રમાદોનો ત્યાગ કરવો જોઈએ તથા રાગ દ્વેષના ઉન્મૂલન માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ એ વિસ્તારથી બતાવ્યું છે. સૌથી પ્રથમ તો બ્રહ્મચર્યપાલન અંગે કહેવામાં આવ્યું છે. કામભોગોના દારુણ વિપાકો બતાવ્યા છે. રાગ-દ્વેષની મુક્ત બનીને, સમાધિ પ્રાપ્ત કરવા માટે કહ્યું છે. - ચક્ષુરિન્દ્રિયના દોષોથી બચવું જોઈએ. રૂપના મોહને પ્રમાદ બતાવ્યો છે. શ્રવણેન્દ્રિયના દોષ બતાવ્યા છે. શબ્દના રાગ-દ્વેષથી બચવાનો ઉપદેશ આપ્યો છે. - ઘ્રાણેન્દ્રિયનો દોષ બતાવીને સુગંધ-દુર્ગંધના રાગ-દ્વેષથી, બચવાનું કહ્યું છે. રસનેન્દ્રિયના દોષ બતાવીને મધુરાદિ રસોના રાગ-દ્વેષથી બચવાનો ઉપદેશ આપ્યો છે. સ્પર્શનેન્દ્રિયના દોષ બતાવીને અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શના રાગ-દ્વેષથી બચવાનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy